Abtak Media Google News

સમાજ એક નહિ થવા દે તેવા ડરથી બંનેએ સાથે અન્નતની વાટ પકડી

અબતક-રાજકોટ

સાવરકુંડલામાં રહેતા પ્રેમી યુગલએ સમાજ એક નહીં થવા દે તેવા ડરથી ખાલપર ગામે જઈ ઝેરી દવા પીને સજોડે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સાવરકુંડલામાં વંડામા રહેતા હરસુખ ધીરૂભાઇ ડાભી (ઉ.વ.૨૭) નામના યુવકને પાડોશમા જ રહેતી વનીતા ગોપાલભાઇ ડાભી (ઉ.વ.૨૫) નામની યુવતી સાથે પ્રેમસંબંધ થયાે હતાે. જો કે બંનેને અટક સરખી હાેય જેથી લગ્ન થઇ શકે તેમ ન હાેય બંને ગત તા.૧૧મી ફેબ્રુઆરીના રોજ બપોરના ત્રણેક વાગ્યાથી ઘરેથી કાેઇને કહ્યાં વગર નીકળી ગયા હતા.

હરસુખ અને વનીતા બંને ઘરેથી નીકળી ગયા બાદ ખાલપરની સીમમા અાવેલ કાળુભાઇ વિરાણીના ભીડની જંગલ ઝાડી વિસ્તારમા જઇ સજાેડે ઝેરી દવા ગટગટાવી લેતા બંનેનુ ઘટના સ્થળે જ માેત નિપજયું હતુ. બંનેના પરિવારજનોએ શોધખોળ અાદરતા બંનેની લાશ મળી અાવી હતી. ઘટનાને પગલે વંડા પાેલીસ દોડી ગઇ હતી અને બંનેની લાશને વંડા સીઅેચસી ખાતે પોસ્ટમાેર્ટમ માટે ખસેડવામા અાવી હતી. બનાવ અંગે દિનેશભાઇ ગોપાલભાઇ ડાભીઅે વંડા પાેલીસ મથકમા જાણ કરી હતી. બનાવની વધુ તપાસ એએસઆઇ અેલ.અેમ.શ્રીમાળી ચલાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.