Abtak Media Google News

ગોંડલ નગરપાલીકા દ્વારા પરંપરાગત ભાતીગળ સાંસ્કૃતિક લોકમેળા નુ આયોજન સંગ્રામસિહજી હાઇસ્કૂલ ના મેદાન મા તા.17 થી તા.23 દરમ્યાન કરાયુ છે.

સૌરાષ્ટ્ર માં આકષઁણ નાં કેન્દ્ર સમા ગોંડલ નાં લોકમેળા નુ ઉદ્ઘાટન તા.17 બુધવાર નાં રાજ્ય મંત્રી અરવિંદભાઈ રૈયાણી ના હસ્તે સાંજે છ કલાકે થનાર છે.લોકમેળા માં તા.18 થી તા.23 દરમ્યાન રાત્રી નાં કૃષ્ણ જન્મોત્સવ, લોકડાયરો,મ્યુઝિકલ નાઈટ સહિત રંગારંગ કાર્યક્રમ યોજાશે.લોકમેળા ને લોકો મનભરી ને માણી શકે તે માટે નગર પાલીકા પ્રમુખ ભાવનાબેન રૈયાણી,ઉપપ્રમુખ ગૌતમભાઇ સિંધવ, કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા,મેળા કમીટી ના ચંદુભાઇ ડાભી સહિત ના સદસ્યો વ્યવસ્થા જાળવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.