Abtak Media Google News

સળગતા કાશ્મીરનો સળગતો પ્રશ્ન: કોઇ ફાયર સ્ટેશન જ નથી

સળગતા કાશ્મીરમાં ફાયર સ્ટેશન અને માળખાગત સુવિધાનો પણ પ્રશ્ન સળગતો હોય તેવો બનાવ જમ્મુ-કાશ્મીરમાં કારગીલ લદાખ પાસે દ્રાસમાં આવેલી જામિયા મસ્જીદમાં ભીષણ આગ લાગતાં મસ્જીદ બળીને ખાખ થઇ ગઇ છે.બુધવારે લાગેલી આ આગમાં કાદીમ હનિફા જામિયા મસ્જીદમાં મોટું નુકશાન થયું છે.

સદનશીબે આ ભીષણ આગમાં કોઇ જાનહાનિ થઇ નથી ભારતીય લશ્કરના જવાનો, પોલીસે સ્થાનિક લોકોની મદદ લઇ આગ પર કાબૂ મેળવ્યો હતો. સ્થાનીક સત્તાવાળા પાસે આ વિસ્તારમાં ફાયર સ્ટેશનની કોઇ સુવિધા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.