Abtak Media Google News

સંત કબીર રોડ પર વીજ કનેક્શન કાપવા આવેલા પીજીવીસીએલના કર્મચારી પર પથ્થરમારો

શહેરના સંત કબીર રોડ પર રસિયો રૂપાળાએ મીટર કાપવા આવેલા પીજીવીસીએલના કર્મચારી પર પથ્થર મારો કરતા બંને કર્મચારી ઘવાયા હતા.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ આટકોટ રહેતા અને પીજીવીસીએલમાં ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા જયંતીભાઈ ગોવિંદભાઈ દાફડા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યા મુજબ પોતે અને તેના સહ કર્મચારી દિનેશભાઈ ગોવિંદભાઈ પરમાર સંત કબીર રોડ પર આવેલા વાલ્મિકી આવાસ યોજનાના ડી વિંગ ક્વોટરમાં આવેલા ફ્લેટ નંબર-5માં રહેતા હસમુખ હીરાભાઈ મકવાણાના ઘરે મીટર કાપવા ગયા હતા.

તે દરમિયાન ત્યાં બે અજાણ્યા શખ્સોએ આવીને તમ અહીંયા કેમ મીટર કાપો છો તેમ કહી પથ્થરના ઘા કર્યા હતા. જેમાં ફરિયાદી જયંતીભાઈ દાફડા અને દિનેશભાઈ પરમાર બંનેને ઇજા થઈ હતી. જેથી બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ પી.બી. ત્રાજીયાએ ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.