Abtak Media Google News

મોરબીથી ઝીંઝુડા ગામે કોઠાવારા પીરની જગ્યાએ જતા સમયે બનેલી ઘટના

મોરબીથી ઝીંઝુડા ગામે કોઠાવારા પીરની જગ્યાએ એસેન્ટ કાર લઈને જઈ રહેલા મોરબી જોન્સનગરના યુવાનોને અકસ્માત નડતા આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવાનોના મૃત્યુ નિપજ્યા હતા અકસ્માત એટલો ગંભીર હતો કે ગાડથોલિયા ખાઈ ગયેલ કારનો બુકડો બોલી ગયો હતો જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે મોરબીથી ઝીંઝુડા ગામે આવેલ કોઠાવારાપીરની દરગાહ ખાતે એસેન્ટ કારમાં જઈ રહેલા મોરબીના પાંચ યુવાનોને વર્ષામેડી અને  ખીરસરા વચ્ચે ગંભીર અકસ્માત નડયો હતો.

વધુમાં સૂત્રોના જણાવ્યા મુજબ એસેન્ટ કાર પિલર સાથે અથડાઈ હતી અને અકસ્માત એટલો ગંભીર હતો કે બે યુવાનોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયા હતા જ્યારે અન્ય એક યુવાનને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતું સારવાર કારગત નીવડી ન હતી.એક સાથે ત્રણ-ત્રણ યુવાનોના મૃત્યુના સમાચાર વાયુવેગે પ્રસારી જતા સિવિલ હોસ્પિટલે મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

દરમિયાન આ અકસ્માતમાં ઘાયલ થયેલા રિયાઝ ઇબ્રાહિમ ઘાંચી ઉ.૧૮ રે.જોન્સનગર અને સીદીક ઉર્ફે ડાડો હુસેનભાઈ ખોડ,ઉ ૨૨ ને સિવિલ હોસ્પિટલ મોરબી ખસેડવામાં આવ્યા હતા અને ભાવેશ નારણભાઇ સરવૈયા ઉ.૨૦ રે.જોન્સનગરને ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતો જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી.

દરમિયાન આ અકસ્માતમાં સીદીક હુસેનભાઈ ખોડ, મહેબૂબ હુસેન ભટ્ટી અને અક્રમખાન નસીરખાન પઠાણના મૃત્યુ નિપજ્યા હતા જ્યારે ભાવેશ અને રિયાઝ હાલ સારવાર હેઠળ છે.

આ અકસ્માત એટલો ગંભીર હતો કે ગાડી પિલર સાથે અથડાઈ બે ચાર ગોથા ખાઈ ગઈ હતી આ અકસ્માતની કરુણતા તો એ છે કે આગામી ૧૭-૧૮ ફેબ્રુઆરીના રોજ મૃતક અક્રમખાનના લગ્ન લેવાયા હોય પરિવારજનો દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી હતી પરંતુ ગઈકાલે આ ગોઝારી ઘટનામાં અક્રમખાનનું મૃત્યુ નિપજતા પરિવારજનોની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.