Abtak Media Google News

 

વતન જાપોદરમાં રામમંદિર નિર્માણ સપ્તાહની પૂર્ણાહૂતિ પ્રસંગ પૂર્ણ કરી ઘરે પરત ફરતી વેળાએ સર્જાયો અકસ્માત: પરિવારમાં શોક

વંથલી નજીક આવેલા નરેલી ગામ નજીક કાર પલ્ટી ખાઈ જતા રાજકોટના યુવાનનું કાર અકસ્માતમાં મોત નિપજયું હતું. આશાસ્પદ યુવાનના મૃત્યુથી તેના પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી તપાસ હાથધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર બીગ બજાર સામે રહેતા અને બાલાજી વેફર્સના સેલ ડિસ્ટ્રીબ્યુટર સહિતના ધંધા સાથે સંકળાયેલા પારસભાઈ વલ્લભભાઈ કટારીયા નામના ૪૩ વર્ષના પટેલ યુવાન માણાવદર નજીક આવેલા જાપોદર ગામે રામમંદિર નિર્માણ સપ્તાહમાં ગયા હતા.

સપ્તાહ પૂર્ણાહુતી પ્રસંગ પૂર્ણ કરી કાર લઈ રાજકોટ પરત ફરી રહ્યા હતા ત્યારે વંથલી અને માણાવદર વચ્ચે ડ્રાઈવીંગ પરનું કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. કાર અકસ્માતમાં ઘવાયેલા યુવાનને અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા તેમના પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. મૃતક બે ભાઈ અને એક બહેનમાં વચ્ચેટ હોવાનું અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વંથલી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.