Abtak Media Google News

વુહાનમાંથી શરૂ થયેલી કોરોનાની ભુતાવળ જલ્દીથી માનવ સમાજનો પીછો છોડે તેમ નથી. આ વાયરસ સાથે લાંબો સમય સુધી જીવતા શિખી જવું પડશે. વૈજ્ઞાનિકોની આ આગાહી હવે સાચી પડી રહી છે. આમ પણ કોવિડ-19 જેવું એક વાયરસ જો આવી મહામારી સર્જી શકતું હોય તો વાયરસની આ ભુતાવળને સમજવાની કવાયત પણ કરવી પડે. જો કે, કોઈપણ વાયરસ બહારથી આવે તેની સામે માનવ શરીરમાં જ 33 કરોડથી વધુ વાયરસ રહેલા છે. સજીવ શરીર આખુ વાયરસનું જ બનેલ હોય છે.

કોવિડ-19 વાયરસ જેવા કરોડો વાયરસ આપણા શરીરમાં મોજુદ છે પરંતુ કોવિડ-19ની સમસ્યાને લઈ સમગ્ર વિશ્ર્વ હચમચી ઉઠ્યું છે. કોવિડ-19નું વાયરસ હવે દિવસે-દિવસે અલગ-અલગ રૂપમાં માનવ સમાજ માટે ઘાતક બની રહ્યું છે તેવા સંજોગોમાં કોવિડ-19નું નવું રૂપ વધુ ઘાતક થાય તે પહેલા તેને સમજી લેવાની જરૂર છે.

મુંબઈ પલમોનોજી હોસ્પિટલના વિભાગીય નિયામક ડો.અમિતા નૈને લખે છે કે, કોરોના સંપૂર્ણ બદલાઈ ચૂક્યો છે. અગાઉના અનુભવ મુજબ ઈલાજ ન કરી શકાય. કોરોના અંગેના નવા રંગરૂપ અંગે મળેલા અવલોકનોમાં

  1. દર્દીને સાતમાં દિવસ કે ત્યારપછી 100 ડિગ્રીથી વધુ મૌખીક તાવ રહેતો હોય તો ન્યુમોનિયાની અસર ગણી શકાય.
  2. આ તબક્કે સીઆરપીસીમાં રિપોર્ટ આવતો નથી, ઉધરસ કે શ્ર્વાસ લેવામાં તકલીફ થતી નથી, એસપીઓ-2 96થી વધુ હોય છે અને સિટી સ્કોર 10 હોવા છતાં દર્દીઓએ નિરાંશ ન થવું.
  3. આગળ 2-3 દિવસમાં સિટી સ્કોર 16 કે તેથી વધુ થઈ જશે. ફરીથી ક્યારેક જ કોઈ ઉધરસ કે શ્ર્વાસ લેવામાં તકલીફ થાય ત્યારે તાવ જ એકમાત્ર લક્ષણ ગણી શકાય કે, જેમાં 95 ટકાથી વધુ આરામની જરૂર હોય.
  4. 24 થી 48 કલાક પછી આ જ દર્દીને માત્ર ઓક્સિજન પરંતુ એનઆરબીએમ, એચએફએનસી અને એનઆઈવીની જરૂરીયાત માટે વિલુપ્ત થઈ જશે.
  5. આવી પરિસ્થિતિમાં આવા દર્દીઓને છાતીમાં દુ:ખાવો, સાતમાં દિવસ પછી તાવ આવે, ભલે ખાસી કે શ્ર્વાસમાં કોઈ તકલીફ ન હોય, એચઆરટી ચેસ્ટનો રિપોર્ટ કરતા પહેલા જો વિલંબ કરવામાં આવે તો રોગમાં પ્રતિકુળ પરિણામો આવી શકે.
  6. હું નિશ્ર્ચિત રૂપે એવા રોગીઓને સ્ટીરોઈડ આપવાની સલાહ આપીશ જેને મૌખીક તાપમાન સાત દિવસ કે વધુથી 100થી વધુ રહેતું હોય, ભલે એસપીઓ-2 લેવલ 95 કે તેથી વધુ હોય કેમ કે, 2 થી 3 દિવસ રાહ જોવાથી દર્દીઓને માત્ર દવાખાનામાં નહીં પરંતુ આઈસીયુમાં દાખલ કરવા જેવી પરિસ્થિતિમાં પહોંચાડી દેવાય છે.
  7. સમયસર સ્ટીરોઈડ શરૂ કરવાથી આ તમામ રોગીઓને એન્ટીબાયોટીક, સુગર, મોનિટરીંગ, પોર પોઝિશન માટે રોકી શકાય છે.
  8. સાત દિવસ કે તેનાથી વધુ તાવ આવતો હોય તેવા દર્દીઓને સ્ટીરોઈડ ન આપવાથી એક એવી સ્થિતિનું નિર્માણ કરવા જેવું છે જ્યાં દર્દીનું આઈસીયુમાં જ પૂરું થઈ શકે છે.
  9. આશ્ર્ચર્ય એ વાતનું છે કે, સાતમાં દિવસે તાવ વગર દર્દીને ઉધરસ કે શ્ર્વાસ લેવામાં તકલીફ ઉભી થઈ શકે છે. સાતમાં દિવસે તાવ આવવો એ કોવિડમાં મહત્વનું લક્ષણ ગણવામાં આવે છે.
  10. તો હવે આવો આપણે ગયા વર્ષે જે કરતા હતા તેના પર જ ઉભુ રહેવાનું જોર ન આપીએ. કેમ કે આ વર્ષે વાયરસનો વ્યવહાર બદલાઈ ગયો છે.

મહેરબાની કરીને સ્ટીરોઈડ શરૂ કરવામાં રાહ જુઓ, જ્યાં સુધી ઓક્સિજન લેવલ 94 થી ઓછુ ન હોય તો દર્દી કસરત પર ઉતરી જાય અને મહેરબાની કરીને મધ્યમ સ્થિતિના રોગીઓ માટે સ્ટીરોઈડ શરૂ કરવાનો વિચાર શરૂ કરે. સાત દિવસથી 100થી વધુ તાવ રહેતો હોય ભલે સ્થિતિ સામાન્ય હોય તો પણ પ્રતિક્ષા ન કરવી. અગાઉની માન્યતા ઉપર ઈલાજ આ વખતે લાગુ કરવા જેવું નથી. કોરોના સામે દર્દીઓને વધારે સુરક્ષીત કરવા માટે હવે અલગ ઈલાજ અને વ્યવસ્થાની જરૂર ઉભી થઈ છે.

કોરોનાના આ નવા વાયરામાં જો સમયસરની સારવાર અને વિનયપૂર્વક સ્ટીરોઈડનો ઉપયોગ કરવામાં થાપ ખવાઈ જાય તો પણ મુશ્કેલી સર્જાઈ શકે તેમ હોવાનું મુંબઈ પલમોનોજી હોસ્પિટલના વિભાગીય નિયામક ડો.અમિતા નૈનેએ હિમાયત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.