કોરોનાની મહામારી વચ્ચે પણ સામાજિક અંતર અને પુરી સાવધાની સાથે માત્ર થોડા વિદ્યાર્થીઓને સાથે રાખીને સામાજિક ઉતરદાયિત્વના ભાગ રુપે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, પડધરી ખાતે એન.એસ.એસ. અને એન.સી. સી.ના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતુ. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, પડધરીના આચાર્ય ડો. સી.બી. બાલસના માર્ગદર્શન અનુસાર કોલેજના એન.સી.સી. (આર્મી)ના કો ઓડીનેટર ડો. સંદીપકુમાર વી. વાળા અને એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફીસર ડો. ધર્મેશ આર. પરમાર દ્વારા કોલેજમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ, જેમાં કોલેજના આચાર્ય ડો. સી.બી.બાલસ, પરેશભાઇની વિશેષ ઉપસ્થિતિમાં એન.એસ. એસ. અને એન.સી.સી.ના વિધાર્થીઓ દ્વારા ૫૦ જેટલા રોપાઓનું વૃક્ષારોપણ કરવામા આવ્યુ અને વિદ્યાર્થીઓ વૃક્ષોનુ જતન પણ પોતે કરશે તેવી પ્રેરણાપુરી પાડવામા આવી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ