Abtak Media Google News

નરાધમે ઘરમાં બોલાવી નિવસ્ત્ર કરી: બાળકીએ દેકારો કરતાં જવા દીધી: માસૂમની માતાની ફરિયાદ પરથી કામાંધ સામે નોંધાતો ગુંનો

શહેરના કૃષ્ણનગર મેઇન રોડ પર આરએમસી ક્વાર્ટરમાં નવ વર્ષની બાળકીને પ્રૌઢે પોતાના ઘરમાં બોલાવી માસૂમને નિવસ્ત્ર કરી બળાત્કારનો પ્રયાસ કર્યો હતો પરંતુ બાળકીએ દેકારો કરતા નરાધમ પ્રૌઢે બાળકીને કપડા પેરાવી તેને જવા દીધી હતી આ બનાવની માસૂમની માતાને જાણ થતાં તેને નરાધમ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુંનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.

Advertisement

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ કૃષ્ણનગર મેઇન રોડ પર રહેતા પરિવારની નવ વર્ષીય બાળકી બે દિવસ પૂર્વે ઘર પાસે રમતી હતી ત્યારે પાડોશમાં રહેતા અશોક નામના 54 વર્ષીય નરાધમ પ્રૌઢે બાળકીને લાલચ આપી પોતાના ઘરમાં બોલાવી હતી અને તેણીને નિર્વસ્ત્ર કરી શારીરીક અડપલાં કર્યા હતા અને પોતે પણ નિર્વસ્ત્ર થઇ ગયો હતો બાદ માસૂમ પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.

જેથી માસૂમે દેકારો કરતાં નરાધમે બાળકીને કપડા પહેરાવી તેને જવા દીધી હતી. બે દિવસથી ગુમસૂમ રહેતી હોવાથી તેની માતાએ તેને પૂછતાં તેને પૂરી વાત કરી હતી. જેથી તેમણે માલવિયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ અશોક વિરૂધ્ધ ગુંનો નોંધી તેની ધરપકડ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.