Abtak Media Google News

માનવીય સંબંધોમાં ઉમળકો હોય ત્યાં જ પ્રેમ સભર જીવન જન્મે છે, કોરોના કાળમાં આંશિક સુધારો થયો પણ દુનિયા આખીમાં એક માત્ર માણસને કહેવું પડે છે કે માણસ થા: આજે દંભથી ભરેલ દુનિયામાં માનવીની હૃદયની સુંદરતા મરી પરવારી છે

પૃથ્વીપર લગભગ દર 100 વર્ષે ભયંકર બદલાવ આવે છે. 1720, 1820, 1920 અને 2020 માં આપણે જોયું કે પ્લેગ જેવા વિનાશક રોગો આવ્યાને ચાલ્યા ગયા, ર1મી સદીમાં પણ આપણે સાસે, બર્ડ ફલુ, ઇબોલા, એચ.આઇ.વી., એન્થ્રેકસ, ઝાડા જેવા ઘણા વાયરસો જોયા હવે આવ્યો કોરોના એ પણ ચાલ્યો જશે ત્યાં વળી નવો વાયરસ કે રોગ ટપકી પડશે. હવે પૃથ્વીવાસીઓ તેની સાથે રહેતા શીખી લેવું પડશે. માણસ ખાલી માણસ બનીને રહે ને તો પણ ઘણી મુશ્કેલીનો અંત આવે છે. આપણે ભારતીયો આપણાં દેશમાં નિયમો પાળતા જ નથી પણ વિદેશ જઇએ ત્યારે સઁપૂર્ણ આજ્ઞાપાલક બની જઇએ છીએ, વિદેશોની ઘણી સારી ટેવોની આપણે વાહ વાહ કરી પણ અમલ નથી કરવો, માણસ સિવાય કોઇને પણ તુ માણસ થા એવું કહેવું પડતું નથી, કુતરાને આપણે કોઇ દી નથી કીધું કે તુ કુતરો થા.

Advertisement

માનવી, માનવી વચ્ચેના સંંબંધો જ પ્રેમસભર સમાજની રચના કરે છે. આવી બધી મહામારીઓમાં લોકડાઉનમાં માનવ, માનવની નજીક આવ્યો એનાથી પોઇન્ટમાં આંશિક સુધારો જોવા મળ્યો પણ ફરી એ જ જીવન શૈલી રૂટીંગ થતાં માનવી તેના મૂળ આદતો સ્વભાવમાં ઢળી જાય છે. વર્ષો પહેલા આપણે ગામડામાં રહેતા ત્યાં સંયુકત કુટુંબ પ્રથામાં આખો પરિવાર તણાવ મુકત તંદુરસ્ત જીવન શૈલીથી જીવતો હતો, પણ જેમ જેમ વિકસતા પવને કુટુંબને વિભકત કર્યો ને વેરઝેર, તકરાર સાથે કુટુંબ કલેશો પેદા કર્યા, અગાઉના લોકોમાં સહનશીલતા હતી જે આજે સાવ નથી કદાચ તેથી જ  આપઘાતનું પ્રમાણ વઘ્યું છે.

Humandignity

કુટુંબમાં એકબીજા વચ્ચેનો પ્રેમ, ભાતૃભાવ કે ભાઇચારાની ભાવનાને કારણે એક બીજાને ઓથ સાથે પ્રેમ, હુંફ અને લાગણી મળતી હોવાથી તે ગમે તેવી મુશ્કેલીનો સામનો કરી શકતો જે આજે કયાંય જોવા મળતું નથી. સવારથી સાંજ બે છેડા ભેગા કરવામાં જીવન ખર્ચાય જાય ત્યાં પાડોશમાં કોણ રહે છે એ પણ ના ખબર હોય, પહેલા વસ્તી હોવાથી આખુ ગામ આપણને ઓળખતું આજે શેરીમાં કોઇ ઓળખતું નથી. માનવ-માનવ વચ્ચેના સંબંધોની ખાય એવડી મોટી થઇ ગઇ છે કે તેમાંથી માનવીનું બહાર નીકળવું છે. ગામડાઓ ભાંગીને શહેર બનાવ્યાને જંગલોનો નાશ કરીને ઉદ્યોગો ખડકયા જેનાથી હવા દૂષિત થઇને રોગોનો રાફડો ફાટી નીકળ્યો જેનો વાંક ફકત આપણે જ છીએ.

માનવી જ પોતાના પગ પર કુહાડો મારીને પોતાનું જીવન જ દુ:ખી કરી રહ્યો છે. કુદરતી સંપતિનો સાચો રખેવાળ માનવી જ છે પણ તે જ તેને નુકશાન કરતાં હવે કુદરતનો કહેર સહન જ કરવો પડશે, આપણે ઇન્સાનની ઔલાદ છીએ તેથી ઇન્સાન બનીયે તો ઘણી સમસ્યા દૂર થાય એમ છે. આ ર1મી સદી સ્વાર્થની દુનિયા છે એકબીજાના ગળા કાપીને માનવી સાવરથી સાંજ ફકત પૈસાની પાછળ આંધળી દોટ લગાવતા તમામ સંબંધોને નેવે મૂકીને પોતાનું વિચાર તો થયો એટલે હવે આ બાબતે સુધાર લાવવો જ પડશે, વર્ષો પહેલા પાડોશી દેશો સાથેના સંબંધો અને આજે જાુઓ જો કે દુનિયા જ સ્વાર્થી બની છે ત્યાં આપણે કે ને ટોકવા  જઇશું.

પહેલાના જમાનામાં મહેમાનોની આગતા સ્વાગતતા કેવી સરસ થતી, અજાણ્યા માણસને પણ જમ્યા વગર ન જવા દે તેવો ટેકીલા માનવીઓ  હતા. આંગણું ચોખ્ખું ચણાક રાખતા ને નદીએ નહાવા જતા સાથે દિલ બધાના સાફ હતા. એકબીજાને મુશ્કેલીમાં સૌ મદદ રૂપ થતાં તેથી કુટુંબ, ગામ કે શેરીમાં ન બળો માણસ સચવાઇ જતો, જેને ત્યાં લગ્ન હોય ત્યાં આખા ગામના કામ કરવા પહોંચી જાય ને ‘સંપ ત્યાં જંપ’ ની ઉકિત સાર્થક કરીને પ્રસંગો ઉકેલતા.

આજના જમાનામાં માણસોના હ્રદયની સુંદરતા જ મરી ગઇ હોવાથી લાગણી દીન બની ગયો છે. ખોટા દંભમાં રાચનારો માનવે સત્ય ને કયાંથી ઓળખી શકવાનો, જુના કરૂણ પીકચરો જોઇને બધા રડવા લાગતા એટલી સચોટ લાગણી હતી, આજે તો માણસો એકબીજાના ખુન કરી નાંખે છે. આધુનિકતાના અંચળો પહેરનાર માનવી કુદરતે આપેલ અફાટ ખજાનો નાશ કરીને જ રહેશે. એવું લાગી રહ્યું છે. આજે એકબીજાના સુખ, દુ:ખમાં કોણ સાથે રહે છે, મિત્રોતો ઠીક સગાપણ મોં ફેરવી લે છે. પહેલાના જમાના આવું ન હતું, સુખ કે દુ:ખ બધુ જ બધાનું આપણો હોય કે પારકો તન,  મન, ધનથી મદદ કરીને તેને ઉગાી લેતા હતા.

આજની જેમ પહેલા ગરીબ, તવંગરના ભેદ ન હતા પણ બધા જ એક સરખા હતા. આજે પૈસાદાર અને ગરીબ વચ્ચેની ઊંડી ખાયે ટુંકા રસ્તે પૈસા બનાવવા અવળે રસ્તે ચડીને યુવા વર્ગ કહેલાય કુટુંબોનું ધનોત, પનોત કાઢી નાખ્યું, આજે લોકોને શરમજ નથી ત્યાં તેને કોની બીક રહેવાની પહેલા તો ગામમાં નીકળવું ભારે થઇ પડતું, પહેલાની જીવન શૈલી, આહાર, ઉછેર, લાલન, પાલન, કુટુંબ પરિવાર પ્રેમ જેવું આજે કશું જ નથી. આજની જીવન શૈલી એ જ કેટલાય રોગોને ખુલ્લુ આમંત્રણ આપી દીધું છે. હવા, પાણી, ખોરાક માનવીની પ્રથમ જરુરીયાત છે જે પહેલાની જેમ શુઘ્ધ ન રહેતા ભેળસેળના જમાનામાં સંબંધો પણ સ્વાર્થ સાથેના ભેળસેળીયા કે સુગંધ વગર ના પ્લાસ્ટીક ના ફૂલ જેવા છે. કામ હોય ત્યારે ખોટું સ્માઇલ પણ કરીને માનવી બનાવટ કરવામાં પાવરધો થઇ ગયો છે.

પહેલા કરતાં માણસ બુઘ્ધી શાળી થયો છે પણ તેનો ઉપયોગ એકબીજાને છેતરવામાં કરી રહ્યો છે. આજના યુગની કરૂણતા છે માણસો જયારે દુર્ગુણોનો સહારો લેવા માંડે ત્યારે જીવન મૂલ્યોનો નાશ થઇ જાય છે. પહેલા મોટા કુટુંબોમાં એક વડિલનો હુકમ બધા શિરોમાન્ય રાખતા, તેની સામે કોઇ બોલીના શકે એવી ધાક હતીજે આજે સાવ વિલિન થઇ ગયું ને એકબીજાને તુકારો ને વડિલોની આમાન્યાય જાળવતા નથી. દરેક મા-બાપે બાળકોને આવા જીવન મૂલ્યો શીખવવાની જરુર છે જેની કયાંય નિશાળ નથી તે ઘરના સંસ્કારોમાંથી બાળક શીખે છે.

માનવીય સંબંધોમાં આંતર માનવીય વ્યવહારોનું મહત્વ ઘણું છે. સહાનુભૂતિ, અનુકંપા, જીવા ગુણો માનવ-માનવ વચ્ચે હોવા જોઇએ, સાથે માનવ ખુબ સંવેદનશીલ હોવો જોઇએ . માનવીય સંબંધો સામાજીક હેતુસર સારા સંબંધો જાળવી રાખવા તે દરેક માનવીની પ્રથમ ફરજ છે. લોકો સાથે સારી રીતે કામ પાર પાડવા પણ વધુ સારી સમજણ અને સારા માનવીય સંબંધો વિકસાવવા પડે છે. માણસ એક સામાજીક પ્રાણી હોવાથી સમાજ સાથે સારી રીતે જીવતો તેને વિવિધ સંબંધોનું જતન કરવું જ પડે છે. એકાંત કે એકલતામાં જ આવા માનવીય સંબંધોની કિંમત સમજાય છે. કોઇ માનવી સંબંધ વગર જીવી જ ના શકે છતાં આજે લાખો લોકો એકલા જીવન જીવે છે, પણતેના જીવનમાં ડોકીયુ કરી એ ભારે એ પણ કોઇનો સાથ ઝંખે છે અને એક મેકના સથવારે તમામ કામ સંપન્ન કરવા ઇચ્છે છે પણ આ વાત સમજે કોણ ?

‘તેરા સાથ હે તો, મુજે કયા કમી હૈ,

અંધેરો મે ભી, મીલ રહી રોશની’ હૈ,

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.