Abtak Media Google News

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે તા.૨૧મી જાન્યુઆરી-૨૦૧૯ના રોજ સુરેન્દ્રનગર ખાતે સ્થિત શ્રી સી.યુ. શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ સંસ્થા આયોજીત અને રાધાકૃષ્ણ કરૂણા સંઘ પરિવાર મુંબઇ પ્રેરિત અંધ કન્યાઓના ૨૫માં લગ્નોત્સવમાં ઉપસ્થિત રહીને નવ દંપતિઓને શુભકામના પાઠવશે અને સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપેન્દ્રભાઇ મનોચાને લુઇ બ્રેઇલ એવોર્ડ,  લાલજીભાઇ પ્રજાપતિને પંડીત સુખલાલજી એવોર્ડ, શ્રી ધનજીભાઇ માનવ સેવા ટ્રસ્ટ સમઢીયાળાને શ્રી મુ્ક્ત પંકજ ડગલી એવોર્ડ આપી સન્માનિત કરાશે અને દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવશે.

Whatsapp Image 2019 01 21 At 10.32.52 Am 1મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે તા.૨૧મી જાન્યુઆરી-૨૦૧૯ના રોજ સવારે ૯.૧૫ કલાકે ગાંધીનગરથી સુરેન્દ્રનગર હેલીપેડ ખાતે આવશે અને સમારોહ સ્થળ ખાતે જવા રવાના થશે. કાર્યક્રમ પૂર્ણ કરી ૧૦.૪૦ કલાકે હેલીપેડ ખાતેથી ખોડલધામ ખાતે જવા રવાના થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.