અમદાવાદ શહેરના જીએમડીસી મેદાનમાં એજ્યુકેશન ફેર યોજાયો છે. આ શિક્ષણ મેળામાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના અનાથ અને વિધવા માતાના સંતાનો, દિવ્યાંગો, આર્મી અને પોલીસના શહીદ જવાનોના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે રાહત આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી રૂપાણીએ જાહેરાત કરતા કહ્યું કે, દર વર્ષે 2500 વિદ્યાર્થીઓની 5 લાખ સુધીની અભ્યાસ ફી રાજ્ય સરકાર ભરશે. મેડિકલ, સેલ્ફ ફાયનાન્સ અને એન્જિનિયરિંગની ફીનો ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત ગ્રાન્ડ એજ્યુકેશન ફેરનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવતા આ જાહેરાત કરી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ