Abtak Media Google News

મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં બ્રહ્મ રત્નોનું વિશીષ્ટ સન્માન થશે

સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ દ્વારા પ્રતિ વર્ષ શ્રાવણ માસ નિમિતે બ્રહ્મ ભોજન તેમજ જ્ઞાતિ રત્નોનું સન્માન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવે છે. આ વર્ષે પણ આ કાર્યક્રમ સ્વામીનારાયણ મંદિર, પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, બી.એ.પી.એસ. કાલાવડ રોડ, રાજકોટ ખાતે તા.૨૭ને સોમવારે સાંજે ૬ થી ૮ કલાકે રાખવામાં આવેલું છે.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહી વિવિધ ક્ષેત્રના બ્રહ્મ રત્નોનું તેમજ વિવિધ સમાજના આગેવાનોનું મુખ્યમંત્રીના વરદ હસ્તે સન્માન કરશે તેમજ બ્રહ્મ સમાજને શ્રાવણી પર્વની શુભેચ્છા પાઠવશે. વિવિધ ક્ષેત્રમાં સિધ્ધિ પ્રાપ્ત કરેલા ભઈઓ તેમજ બહેનોનું મુખ્યમંત્રીના વરદ હસ્તે બ્રહ્મ ગૌરવ એવોર્ડ મોમેન્ટોથી સન્માનીત કરવામાં આવશે.

તમામ તળગોળો તથા રાજકીય પક્ષા પક્ષીથી પર રહીને સમસ્ત બ્રહ્મ સમાજના નેજા હેઠળ બ્રાહ્મણો એક થઈ અને ભાગ લેશે તેવું અબતકની મૂલાકાતે આવલે આગેવાનોએ જણાવ્યું હતુ.

આ સમગ્ર કાર્યક્રમ કશ્યપભાઈ શુકલ, દર્શિતભાઈ જાની, જનાર્દનભાઈ આચાર્યની આગેવાનીમાં જીજ્ઞેશભાઈ ઉપાધ્યાય, નલીનભાઈ જોષી, કમલેશભાઈ વિદી, દક્ષેશભાઈ પંડયા, પ્રશાંતભાઈ જોષી, જયેશભાઈ જાની, ડો.અતુલભાઈ વ્યાસ, ડો. એન.ડી. શીલુ, સુરભીબેન આચાર્ય, નિલમબેન ભટ્ટ, ભાવનાબેન જોષી વગેરે દ્વારા કરવામાં આવેલો છે.

કાર્યક્રમના પાસ મેળવવા ૬, રજપૂત પરા, બ્રાહ્મણ બોર્ડીંગ ખાતે સાંજે ૫ થી ૮ દરમિયાન સંપર્ક કરવા જણાવાયું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.