Abtak Media Google News

                  તુલશીશ્યામ મંદિર ખાતે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો

Screenshot 17

ગીર ગઢડા તાલુકાના તુલશીશ્યામ મંદિર ખાતે ઉના પ્રેસ ક્લબ ઓફ ઉનાના પત્રકાર મિત્રો દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો . જેમાં શ્યામ સુંદર ભગવાનના મંદિરના શિખર પર ધજા ચડાવી પ્રેસ ક્લબ ઓફ ઉના પરીવારે ધન્યતા અનુભવી હતી .

Whatsapp Image 2023 09 12 At 10.44.49

તુલશીશ્યામ મંદિર ખાતે ભવ્ય ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો તેમા પ્રેસ ક્લબ ઓફ ઉનાના પ્રમુખ જયેશભાઈ ગોંધિયાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો .તેમા ઉના તેમજ ગીર ગઢડા તાલુકાના પત્રકાર મિત્રો એ હાજરી આપી હતી . તેમાં ધ્વજારોહણ  કાર્યક્રમ બાદ તુલશીશ્યામ દર્શનાર્થે આવતા દરેક ભાવી ભકતો એ પ્રસાદનો લાભ લીધો હતો .

મનુ કવાડ

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.