Abtak Media Google News

એક દાયકાથી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દંપતિ માતાજીના દર્શનનો લે છે લ્હાવો

રાજકોટમાં નવરાત્રીની ભાવભર ઉજવણી થઈ રહી છે ત્યારે છેલ્લા 33 વર્ષથી પવનપુત્ર ચોક ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવમાં ગઈકાલે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અંજલિ બેન એ સજોડે દર્શનનો લાભ લીધો હતો વિજયભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે પણ અવિરત દર્શન ની પરંપરા જાળવી રાખી હતી.

Fb Img 1664767205135

ગઈકાલે વિજયભાઈ રૂપાણી સાથે સાથે નીતિનભાઈ ભારદ્વાજ અરવિંદભાઈ  રૈયાણી એ દર્શનનો લાભ લીધો હતો ગરબીના મુખ્ય આયોજક રઘુભાઈ બોરીયા અને રક્ષાબેન બોરીયા ના સતત પ્રયાસોથી પવનપુત્ર ચોકની ગરબી માઇ ભક્તો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે ગઈકાલે રાસ ભક્તિના માહોલ સાથે ખેલૈયાઓએ ભક્તિ ભર્યા રાસ લીધા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.