રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ૬૪માં જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ ડિ.કે.સખીયા, મહામંત્રીઓ ભાનુભાઈ મેતા, જયંતિભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાએ જણાવ્યું હતું કે, વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં દરેક આફતો-અડચણો સામે ગુજરાત અને ગુજરાતીઓનો વિજય યો છે. પ્રજાવત્સલ સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે ગુજરાત જ નહિ પરંતુ દેશ આજે ઓળખી રહ્યું છે. મનમા પ્રજાહિત અને હૃદયમાં કમળ, સક્ષમ છે, મક્કમ પણ છે. તેવા આપણા સૌના ઉમદા નેતાને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ. તેમના જન્મદિવસની જીલ્લાભરમાં તાલુકા ખાતે સેવાકીય કાર્યો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જીલ્લા ભાજપ દ્વારા અંધ મહિલા ગૃહ ખાતે અંધ બહેનોને ભોજન કરાવવામાં આવ્યું હતું અને અલગ અલગ મંડલોમાં પણ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરી ભૂખ્યાને ભોજન, જરૂરીયાતમંદને રાશન કીટ અને જરૂરીયાત મુજબ ચીજવસ્તુઓ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ કોરોનાના સંક્રમણ અટકાવવા માટે કાર્યકર્તાઓ દ્વારા આર્યુવેદિક ઉકાળા, શક્તિવર્ધક હોમિયોપેીક દવાઓ, માસ્ક અને સેનેટાઈઝર સહીતની વસ્તુનું વિતરણ તેમજ વિરપુર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ કરી કાર્યકર્તાઓ દ્વારા પોતાના મજબુત મક્કમ નેતાનો જન્મ દિવસની ઉજવણી કરી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ