Abtak Media Google News

અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલ ની સૌથી મોટી બેદરકારી 4 થી 6 લોકો ની રોશની છીનવી લીધી છે ત્યારે હોસ્પિટલના જવાબદાર લોકો દ્વારા પાપ છુપાવવા માટે ઘણા બધા પ્રયાસો કરવામાં આવ્યા હતા છતાં પણ સૂરજ કાઈ  છાબડે થોડો રહે ? એ કહેવત  હકીકત સાબિત થઈ રહી છે

આંખો ના ઓપરેશન તારીખ 17/11 પછી કરવામાં આવ્યા હતા અને તેમના કેટલાક લોકોને આંખોમાં ઇન્ફેક્શન થવાની જાણ થતાંજ જવાબદાર ડોકટરો દ્વારા રાજકોટ, ભાવનગર, અમદાવાદ જેવા શહેર માં સારવાર માટે ધકેલી દેવામાં આવ્યા હતા અને તેઓની ભાલ પણ લેવાથી દૂર રહેનારા આવા જવાબદાર લોકો સામે કડક પગલાં લેવાય તેવી લોકોમાં માંગ ઉઠી છે

આવી અનહોની ઘટના થી લોકોને અંધારામાં રાખનાર સામે યોગ્ય પગલા લેવા જોઈએ   ઇન્ફેક્શન ના કેસો સામે આવતાં ઓપરેશન બંધ કરી દેવાયા છે  જો સમગ્ર ઘટના માં હોસ્પિટલ બે કસુર જ હોય તો  ઓપરેશન બંધ કરવાનું કારણ શું હોય શકે તે પણ એક સવાલ ઊભો થયો છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.