Abtak Media Google News

હેલ્થ ન્યુઝ

હવામાનમાં થતાં ફેરફારની સાથે શરદી, ઉધરસ અને તાવ જેવી સમસ્યાઓ થાય છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે આ મોસમ ઘણીવાર પડકારજનક હોય છે. ઠંડીની આ સિઝનમાં શરદી-ખાંસી અને ગળામાં ખરાશ જેવા વાયરલ ઇન્ફેક્શનનો ખતરો રહે છે. ઘણી વખત મોંઘા એન્ટિબાયોટિક્સ અને કફ સિરપ પણ ખરાબ ગળાને મટાડતા નથી. પરંતુ કેટલાક ઘરગથ્થુ ઉપાયો ગળાના ઈન્ફેક્શન, તાવ અને શરદી-ખાંસી મટાડવામાં ખૂબ જ અસરકારક છે.

હળદરનું પાણીHealth 2

હળદરનો ઉપયોગ સદીઓથી આયુર્વેદિક ઔષધિ તરીકે કરવામાં આવે છે. હળદરમાં એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-સેપ્ટિક અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે ચેપને દૂર કરવામાં મદદ કરે છે. તમે હળદર અને મીઠાના પાણીથી ગાર્ગલ પણ કરી શકો છો, જે ગળાના દુખાવાથી જલ્દી રાહત આપશે.

આદુ અને તુલસીGinger 0

શિયાળામાં સ્વસ્થ રહેવા માટે તુલસી અને આદુની ચા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. 4 થી 5 તુલસીના પાનને થોડા આદુ સાથે ઉકાળો. જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે તેમાં મધ પણ ઉમેરી શકાય છે. તેને પીવાથી કફની સમસ્યા દૂર થાય છે. આદુ અને તુલસી બંનેમાં એન્ટિવાયરલ ગુણ હોય છે.

મધ અને તજWhatsapp Image 2023 12 18 At 10.40.39 6318Aafb

આયુર્વેદમાં તજ અને મધનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવે છે. ગળાના દુખાવાને દૂર કરવામાં તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તજના પાવડરને અડધું પાણી રહી જાય ત્યાં સુધી ઉકાળો. આ પછી ફિલ્ટર કરો અને મધ ઉમેરો. તેને પીવાથી ગળાની ચુસ્તતા અને દુખાવો ઓછો થાય છે.

કાળા મરી અને મધટિપ્સઃ કાળા મરી સાથે મધન

કાળા મરી અને મધ પણ ગળાના દુખાવા અને ઉધરસમાં ખૂબ જ ફાયદાકારક છે. તેમાં જોવા મળતા એન્ટિવાયરલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ ચેપને મટાડવામાં મદદ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.