Abtak Media Google News

ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઈ ડાંગરે આનંદ મેળો ખુલ્લો મુકયો

Img 20180301 Wa0018

ઉપલેટા તાલુકાના ઢાંકની બાજુમાં આવેલ ગધેથડના ગાયત્રી આશ્રમ ખાતે પ.પૂ.સંતશિરોમણી લાલબાપુ અને રાજુ ભગતના ૨૧ માસના એકાંતવાસ (અનુષ્ઠાન) પૂર્ણ થતા હોય તે નિમિતે તા.૧ માર્ચથી ૪ માર્ચ સુધી ભવ્ય દિવ્ય મહોત્સવમાં લાખો ભકતો ભજન, ભોજન અને ભકિતના દર્શન કરી ધન્યતા અનુભવશે. આ ધર્મોત્સવ નિમિતે ગુરુવારના સવારના ૮:૦૦ વાગ્યે આનંદમેળો ખુલ્લો મુકતા ઉપલેટા તાલુકા પંચાયતના યુવા પ્રમુખ લાખાભાઈ ડાંગરના હસ્તે મુકવામાં આવ્યો હતો.

Img 20180301 Wa0019
તેમજ આરોગ્ય કેમ્પનું ઓપનીંગ હકુભાવાળા દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે દોલુ ભગત, કનકસિંહ વાળા જામનગર, હરિભાઈ ઠુંમર, દિલુભાવાળા ચરેલીયા, કિશોરભાઈ, જયદેવસિંહ વાળા ઉપલેટા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધર્મોત્સવને ખુલ્લો મુકવામાં આવેલ છે.શાસ્ત્રોકતવિધિ નાગવદરના રહિમન અદા દ્વારા કરવામાં આવ્યો હતો.

Img 20180301 Wa0014

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.