રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણીના માર્ગદર્શન હેઠળ આજે સવારે આરોગ્યશાખા અને ફૂડ શાખા દ્વારા કેનાલ રોડને લાગુ કેવડાવાડી વિસ્તારમાં આવેલ બાલાજી નમકીન પ્રોડકશન યુનિટમાં દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. દરોડા દરમિયાન પ્રોડકશન યુનિટમાં સંગ્રહ કરાયેલો મિઠાઈ અને ફરસાણનો જથ્થો વાસી તેમજ અખાધ્ય હોવાનું તપાસનિષ અધિકારીઓને માલૂમ પડ્યું હતું. તેમજ મિઠાઈમાં જીવજંતુ, વંદા અને ઉંદર પણ જોવા મળ્યા હતા. ત્યારે આરોગ્ય શાખાના આધિકારી દ્વારા તાત્કાલિક આ યુનિટને સીલ કરી દેવામાં આવ્યું છે, સાથે 170 કિલો મિઠાઈનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. તેમજ મિઠાઈના નમૂના લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ