Abtak Media Google News

Table of Contents

અબાલ-વૃદ્ધ સૌ કોઈએ બહોળી સંખ્યામાં રેલીમાં જોડાઈ રાષ્ટ્ર પ્રેમ વ્યક્ત કર્યો

સાગર સંઘાણી

                          આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ, ૨૦૨૩ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત રાજ્યના કૃષિ મંત્રીની પ્રેરક ઉપસ્થિતમાં જામનગર જિલ્લાનાં અલિયા ગામે ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ હતી. જેમાં અબાલ-વૃદ્ધ મળી સૌ ગ્રામજનો, પદાધિકારીઓ, વિવિધ સંગઠનના હોદેદારો, છાત્રો વગેરેએ બહોળી સંખ્યામાં યાત્રામાં ઉપસ્થિત રહી પોતાનો રાષ્ટ્ર પ્રેમ અભિવ્યક્ત કર્યો હતો.

                             આ ભવ્ય તિરંગા યાત્રા અલિયા ગામના કાશી વિશ્વનાથ મંદિરે થી શરૂ થઈ મેઈન બઝાર, પોસ્ટ ઓફીસ સુધી યોજાઈ હતી. જેમા આસપાસના વિસ્તારના લોકો તથા ગ્રામજનો ક્રમ અનુસાર સામેલ થયા હતા.અને તેમા મારી માટી, મારો દેશ, હર ઘર તિરંગા, અભિયાનનો સંદેશ આપી લોકોજાગૃતિનો સુંદર પ્રયાસ આ યાત્રા દ્વારા કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.