Abtak Media Google News

જાહ્નવી કપૂરનો ૬ માર્ચ એટલે કે,તે આજે ૨૧ વર્ષની થઇ છે. દર વર્ષે જાહ્નવી કપૂર તેના પરિવાર સાથે બર્થડે સેલિબ્રેટ કરે છે પરંતુ આ વર્ષે તેની માતાના નિધનથી દુખી જાહનવીને કદાચ તેનો બર્થડે સેલિબ્રેટ કરવાનું મન ના હોય. કપૂર પરિવાર જાહનવીના ખાસ દિવસને વધારે ખાસ બનાવવા માંગે છે. આખો પરિવાર આ દિવસે ડિનર પર જશે. શ્રીદેવીએ જાહનવી કપૂરના બર્થડેના કેટલાક પ્લાન્સ બનાવ્યા હતા.તેમણે બોની કપૂરને પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. જો કે, કોઈને ખબર હતી નહિ કે આવું કંઈ થશે.

શ્રીદેવીના ના હોવા છતાં બોની કપૂર જાહનવી કપૂરનો બર્થડે સેલિબ્રેટ કરવા માંગે છે. બોની કપૂર અને તેમનો પરિવાર ઈચ્છે છે કે, જાહનવી તેના બર્થડે પર ખુશ રહે. જાહનવીની સૌતેલી બહેન અંશુલા કપૂર પણ આ સેલિબ્રેશનનો ભાગ હશે.

બોલિવુડની દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવી હવે રહી નથી. શ્રીદેવીના નિધનથી તેમનો પરિવાર દુઃખમાં છે. ખાસ કરીને શ્રીદેવીના પતિ બોની કપૂર અને તેમની બે પુત્રીઓ ખુશી અને જાહનવી.

તેવામાં જાહનવી કપૂરનો 6 માર્ચે બર્થડે છે. જાહનવી 6 માર્ચે ૨૧ વર્ષની થઇ જશે અને આ ૨૧ વર્ષોમાં ફર્સ્ટ ટાઈમ હશે જ્યારે જાહનવી કપૂરના બર્થડે પર તેની માતા શ્રીદેવી સાથે હશે નહિ.

જાહનવી કપૂરની ફર્સ્ટ ફિલ્મ ‘ધડક’ આ વર્ષે રિલીઝ થવાની છે પરંતુ શ્રીદેવી તે જોઈ શકશે નહિ. શ્રીદેવી તેમની પુત્રીઓનું દરેક સપનું પૂર્ણ કરવા માંગે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.