Abtak Media Google News
  • કાર ચાલકે પાછળથી ઠોકર મારતા અકસ્માત સર્જયો

  • દંપતિને ઈજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડાયા

જામનગર ન્યૂઝ

જામનગરમાં શરૂ સેકશન રોડ પર આવેલ ગાયત્રી મંદિર પાસે બાઈક પર જઈ રહેલ એક દંપતિને કાર ચાલકે પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જયો હતો. જેમાં દંપતિને ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે કાર ચાલક નાશી ગયો હતો.

Advertisement

આ બનાવની પ્રાપ્ત વિગત એવી છે કે, જામનગર તાલુકાના તમાચણ ગામમાં રહેતાં જેરામભાઈ મોહનભાઈ મકવાણા અને તેમના પત્ની સોનલબેન પોતાના  બાઈક પર જામનગરમાં સરૂ સેકશન રોડ પર ગાયત્રી મંદિર પાસે મેઈન રોડ પરથી પસાર થઈ રહયા હતા ત્યારે  કાર ચાલકે પાછળથી બાઈકને ઠોકર મારી દીધી હતી. જેમાં બાઈક ચાલક જેરામભાઈને ખભ્ભામાં તેમજ માથાના ભાગે ઈજા થવા પામી હતી.

જ્યારે તેમના પત્ની સોનલબેનને પગમાં ફ્રેકચર તેમજ વાસાના ભાગે અને માથાના ભાગે ઈજાઓ થવા પામી હતી. જેથી દંપતિને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. આ બનાવ અંગે બાઈક ચાલક જેરામભાઈ મોહનભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવતા પોલીસે  કારના ચાલક સામે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે.

સાગર સંઘાણી

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.