Abtak Media Google News

અતિશય સ્ટ્રેસ, નબળું માનસિક સ્વાસ્થ્ય અને આવેગિક રીતે ઉત્તેજિત લોકોને વધુ અસર કરે છે: બ્રુગાડા સિન્ડ્રો. વિષય પર મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ એ.જોગસણ અને અધ્યાપક ડૉ. ધારા આર.દોશી દ્વારા અહેવાલ તૈયાર કરાયો

બ્રુગાડા સિન્ડ્રોમ સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધુ સામાન્ય છે જેના કારણે હાર્ટ એટેક સ્ત્રીઓની સરખામણીએ પુરુષોને વધુ જોવું મળે છે

આજકાલ આપણે સાંભળીએ છીએ કે કોઈ 21 વર્ષનો છોકરો ડાન્સ કરતી વખતે કે કોઈના લગ્નમાં નાચતી વખતે અચાનક જ મરી ગયો.  વ્યાયામ કરતી વખતે એક 17 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું, શાળાની સીડીઓ ચડતા વિદ્યાર્થીને મોત આવ્યું. ઘણી વખત હાર્ટ એટેકના કારણે આવું બન્યું હોવાનું અનુમાન છે.  આવું ઘણા કિસ્સાઓમાં પણ બને છે.  પરંતુ યુવાન, *એકદમ સ્વસ્થ લોકોમાં કાર્ડિયાક અરેસ્ટ પાછળ બ્રુગાડા સિન્ડ્રોમનો મોટો હાથ છે.*   આ સિન્ડ્રોમના લક્ષણો ઘણી વખત ન તો દર્દી જાણી શકે કે  ન ડૉક્ટર પકડી શકે છે.

Advertisement

આ સિન્ડ્રોમ વિશે જાણવું જરૂરી એટલા માટે છે કે તેનાથી જાગૃત બની શકાય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ એ.જોગસણ અને અધ્યાપક ડૉ. ધારા આર.દોશી દ્વારા આ વિશે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે.

બ્રુગાડા સિન્ડ્રોમ શું છે?

તાજેતરમાં જ ઘણા સ્વસ્થ લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે.  બ્રુગાડા સિન્ડ્રોમ આનું એક દુર્લભ કારણ છે.  જેમાં હૃદયના વિદ્યુત આવેગમાં ખામી છે.  આ કારણે હૃદયના ધબકારામાં ખલેલ પહોંચે છે.  હૃદયના ધબકારા ઝડપી બને છે.  બ્લડ પ્રેશરમાં ઘટાડો થાય છે. જેમાં દર્દીનો જીવ પણ જઈ શકે છે.

હૃદયને બંધ કરતો સિન્ડ્રોમ

બ્રુગાડા સિન્ડ્રોમ એ હૃદયની એક દુર્લભ સ્થિતિ છે. જેમાં હૃદયથી મગજ સુધી સંદેશ સપ્લાયમાં અવરોધ આવવા લાગે છે.  હૃદય કામ કરવાનું બંધ કરી દે છે.  વ્યક્તિ બેભાન બને છે અને અંતે સ્થિતિ વધુ ખરાબ થાય છે. હૃદય ઘણા રોગોથી પીડાય છે;  તેમાંથી, બ્રુગાડા સિન્ડ્રોમ તેમાંથી એક રોગ છે.  આ સિન્ડ્રોમ જીવન માટે જોખમી હોઈ શકે છે અને દર્દીના હૃદયના લયને અસર કરે છે. સામાન્ય રીતે, બ્રુગાડા સિન્ડ્રોમ ચોક્કસ રીતે દર્દીઓમાં દેખાતો નથી તેના કેટલાક ચિહ્નો કે લક્ષણો વ્યક્તિમાં દેખાય છે જેમકે મૂર્છા, અસ્તવ્યસ્ત અથવા ખૂબ જ ઝડપી  ધબકારાનો સમાવેશ થાય છે.  કોઈ વ્યક્તિ આ સિન્ડ્રોમથી પીડિત છે કે નહીં તેની ખાતરી કરવાનો રસ્તો ECG અથવા ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ છે.

નિદાન

આ સિન્ડ્રોમની જાણ સહેલાઈથી નથી થતી. બ્રુગાડા સિન્ડ્રોમનું નિદાન ડૉક્ટરની માહિતી પર આધારિત છે. તેના લક્ષણો અલગથી જાણી શકાતા નથી.  જો ડૉક્ટરને તેના વિશે પહેલેથી જ ખબર હોય, તો તે તેની તપાસ કરે છે.  યુવાનોના અચાનક મૃત્યુનું કારણ શું હોઈ શકે જે હાર્ટ એટેકને કારણે ન હોય?  એક કારણ બ્રુગાડા સિન્ડ્રોમ હોઈ શકે છે.  આ રોગને શોધવા માટે એક સરળ પદ્ધતિ છે જેમાં ECG કરવામાં આવે છે.  ઇસીજીમાં એક પેટર્ન છે જેને બ્રુગાડા પેટર્ન કહેવામાં આવે છે.  બ્રુગાડા એ આ સમસ્યા શોધનાર વૈજ્ઞાનિકનું નામ છે.  ECG રિપોર્ટ જોયા બાદ ખબર પડે છે કે આ સિન્ડ્રોમ વારસાગત છે કે નહીં.

લક્ષણ

  • વારંવાર ચક્કર આવવા
  • વારંવાર બેભાન થઈ જવાની સમસ્યા
  • ધબકારા અનિયમિત થવા
  • પરિવારમાં આકસ્મિક મોત નીપજ્યું હોય અને તે સહન ન થવું.
  • શ્વાસ લેવામાં તકલીફ થવી
  • ખૂબ તાવ હોય અને શ્વાસમાં તકલીફ થતી હોય.

કારણ

  • વારસાગત
  • નબળું માનસિક સ્વાસ્થ્ય
  • તણાવ
  • વધુ પડતો તાવ અને હૃદયના અસામાન્ય ધબકાર
  • વધુ પડતી મેદસ્વિતા
  • થાક નો અનુભવ

ઉપચાર

  • નિષ્ણાંત ડોકટરની સલાહ લેવી.
  • યોગ્ય દવાઓ અને યોગ્ય ઉપચાર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.