Abtak Media Google News

દિવાળીને લઈને પાવાગઢ મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.  દિવાળીના તહેવારો વચ્ચે મોટી સંખ્યામાં માઈભક્તો માતાજીના દર્શન કરવા પાવાગઢ જતા હોય છે. આ તરફ હવે દિવાળીના તહેવારને લઈ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.

Advertisement

યાત્રાધામ પાવાગઢમાં દિવાળીના તહેવારો દરમિયાન એટલે કે આજથી 15 નવેમ્બર સુધી મંદિર દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વિગતો મુજબ દિવાળીના તહેવાર નિમિત્તે સવારે 5 વાગ્યે મંદિર ખુલશે.  આજથી 15 નવેમ્બર સુધી મંદિર સવારે 5 વાગ્યે ખુલશે. આ સાથે સાંજે 7:30 વાગ્યે મંદિરના દ્વાર ભક્તો માટે બંધ થશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.