Abtak Media Google News

મેયર ડૉ.જૈમન ઉપાધ્યાય એક યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્ષ ખાતે તા.૧ થી ૪ ફેબ્રુઆરી દરમિયાન ફ્લાવર-શો કમ ગાર્ડન એક્ઝીબીશનનું આયોજન કરવામાં આવેલ છે.

Advertisement

આ ફ્લાવર-શોમાં શહેરીજનો તરફથી ખુબ જ પ્રતિસાદ મળેલ છે. આ ફ્લાવર-શો નિહાળવા માટે ખુબ જ ઘસારો રહે છે. જે ધ્યાનમાં લઇ શનિ-રવિ(તા.૩ અને ૪ ફેબ્રુઆરી)ફ્લાવર-શો હાલના સમયમાં એક કલાકનો સમય વધારો કરવામાં આવે છે. એટલે કે, રાત્રીના ૧૧:૦૦ વાગ્યા સુધી ફ્લાવર-શો નિહાળવા એન્ટ્રી આપવામાં આવશે. અને ૧૨:૦૦ વાગ્યે સમાપન કરવામાં આવશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.