Abtak Media Google News

શહેરના ૨૫-જાગનાથ પ્લોટ ખાતે પાયોનીયર હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ હોસ્પિટલ આધુનિક સુવિધાઓથી સજ્જ છે તથા દર્દીઓને સસ્તાદરે સારવાર મળી શકે તે ઉદ્દેશ્યથી આ હોસ્પિટલની શ‚આત કરવામાં આવી છે.આ હોસ્પિટલની શરૂઆત રાજકોટના જાણીતા ન્યુરો સર્જન ડો.ગૌરાંગ વાઘાણી દ્વારા કરવામાં આવી છે. તથા આ હોસ્પિટલમાં દર્દીઓને સસ્તાદરે ન્યુરો સર્જરી થઈ શકે તે ઉદ્દેશ્યથી શ‚આત કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં આધુનિક યંત્રો તથા નિષ્ણાંત ડોકટરો દ્વારા સારવાર આપવામાં આવશે.આ હોસ્પિટલની ખાસિયતો વિશે જણાવતા પાયોનિયર હોસ્પિટલનાં મેનેજીંગ ડિરેકટર તથા ન્યુરો સર્જન ડો.ગૌરાંગ વાઘાણીએ જણાવ્યું હતું કે સૌ પ્રથમ તો આ હોસ્પિટલ મધ્યમવર્ગના લોકો માટે છે તથા એક અત્યંત આધુનિક કેન્દ્ર છે. જેમાં ૧૭ બેડની સુવિધા છે તથા ફેસિલિટીઝ ધરાવતું આઈ.સી.યુ.ની સુવિધા પણ રાખવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.