Abtak Media Google News

વિવાદોના વંટોળ બાદ પઠાણ સમગ્ર ભારતમાં ધૂમ મચાવી રહી છે. રેકોર્ડ પર રેકોર્ડ તોડનારી આ ફિલ્મ હાલ બોક્સઓફીસ પર છવાઈ ગઈ છે. કાશ્મીરમાં આ ફિલ્મને લઈને ખુબ જ વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે દર્શકોએ આ ફિલ્મ જોયા બાદ શાહરૂખ ખાન પર ફિદા થઈ ગયા હતા. કાશ્મીર અને શ્રીનગરના થીયેટર પઠાણ ફિલ્મને લઈને હાઉસફુલ જોવા મળ્યા હતા ત્યારે હવે ભારતના વડાપ્રધાને પણ પઠાણ ફિલ્મના વખાણ કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે (8 ડિસેમ્બર) લોકસભામાં તેમના ભાષણ દરમિયાન શ્રીનગરના થિયેટરોનો ઉલ્લેખ કર્યો હતો. પીએમએ કહ્યું, “શ્રીનગરમાં દાયકાઓ પછી થિયેટર હાઉસફુલ ચાલી રહ્યા છે.” પીએમ મોદીના આ નિવેદનની ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને લોકો તેને ફિલ્મ પઠાણ સાથે સીધી રીતે જોડીને જોઈ રહ્યા છે.

પીએમ મોદીએ પઠાણ ફિલ્મના વખાણ કરતા જણાવ્યું હતું કે પઠાણે દેશ અને દુનિયામાં પોતાનો ડંકો વગાડ્યો છે. પઠાણ ફિલ્મને કારણે શ્રીનગરમાં દાયકાઓ પછી થિયેટર હાઉસફુલ થયા છે. ફિલ્મના  રિલીઝ દરમિયાન શ્રીનગરના થિયેટરની એક તસવીર પણ વાયરલ થઈ હતી, જેમાં હાઉસફુલનું બોર્ડ જોવા મળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.