Abtak Media Google News

ધારાસભ્ય અંબરીશ ડેર ઘટના સ્થળે દોડી આવ્યા: આધેડ હજુ પણ લાપતા

રાજુલાના ખાખબાઈ ગામના ભરવાડ આધેડ ભોજાભાઈ મોહનભાઈ રાઠોડ ખાખબાઈ રોડ ઉપર નીકળેલ જે દરમ્યાન ધાતરવડી નદી આ રોડ ઉપરથી પસાર થાય છે. ત્યાં પાણીના પ્રવાહમાં તણાયા હોવાની આશંકા તેમના પરિવારે વ્યકત કરતા તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવેલ અને રાજુલા પ્રાંત અધિકારી ડાભી તથા મામલતદાર કચેરીનો સ્ટાફ ઘટના સ્થળે હાજર રહેલ અને આ અંગે પ્રાંત અધિકારી ડાભી સાથે થયેલ વાતચીત મુજબ એનડીઆરએફની ટીમ દ્વારા ત્રણ કીમી સુધી એટલે કે છેક હિંડોરણા સુધી શોધખોળ કરવા છતા ભોજાભાઈ મેરૂભાઈ રાઠોડ ઉ.૪૫ વાળાનો કોઈપણ જાતનો સુરાગ મળ્યો નથી. આ ઘટનાની જાણ થતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડેલ હતા. આ ઘટનાની જાણ થતા ધારાસભ્ય અંબરીશડેર પણ દોડી આવેલ અને બનતી મદદ કરેલ હતી.

Advertisement

આમ એનડીઆરએફની ટીમની તથા રાજુલા તંત્રની જહેમત બાદ પણ માલધારી આધેડનો સુરાગ નહી મળતા તેમના ઘરનાઓ ચીંતાતુર બની ગયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.