Abtak Media Google News

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- અમદાવાદ દ્વારા આવતીકાલે તા.૫ ને શનિવારના રોજ મોરબીના જોધપર ખાતે આવેલા રોજ મેટ્રો પાર્ટી પ્લોટ હોલમાં સમાજશ્રેષ્ઠી સંગમ સમારોહનુ આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આવતીકાલે તા.૫ ને શનિવારના રોજ સાંજે ૫ કલાકે સમાજશ્રેષ્ઠી સંગમ સમારોહ યોજાશે. આ સમારોહ મેટ્રો પાર્ટી પ્લોટ હોલ, ફ્લોરા રિવરફ્રન્ટની પાછળ, જોધપર, મોરબી ખાતે યોજાનાર છે. જેમાં સમાજશ્રેષ્ઠીઓ , મોરબી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના મહાનુભાવો, રાજસ્વી મહાનુભાવો તેમજ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

સમાજશ્રેષ્ઠી સંગમ સમારોહમાં સભાના અધ્યક્ષ તરીકે અજંતા ઓરપેટ ગ્રૂપના ચેરમેન પ્રવીણભાઈ ઓધવજીભાઈ પટેલ, ઉદ્દઘાટક તરીકે ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ, પ્રહલાદભાઈ પટેલ, સી.કે.પટેલ, બાબુભાઇ પટેલ, જયસુખભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમનું દીપ પ્રાગટય સાંસદ મોહનભાઇ કુંડારિયા, સિમ્પોલો ગ્રુપના ઠાકરશીભાઈ અઘારા, નાનજીભાઈ લોદરિયા, વરમોરા ગ્રૂપના પરસોતમભાઈ વરમોરા, મોરબી કલેક્ટર આર.જે.માકડીયા અને ખેડા કલેક્ટર આઈ.કે.પટેલ કરશે. તેમ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- અમદાવાદના સંયોજક આર.પી. પટેલની યાદીમાં જણાવાયું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.