Abtak Media Google News

ફેરબદલીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શિક્ષકોની ભરતી કરવામાં આવશે: શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લે 3300 ભરતી કરવામાં આવી હતી

રાજ્યમાં શિક્ષકોને લઈને એક મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યની સરકારી સ્કૂલોમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી પડી છે. ત્યારે આ ખાલી પડેલી કેટલીક જગ્યાઓ ભરવા માટે સરકારે જાહેરાત કરી છે. ગુજરાત સરકારની મળેલી કેબિનેટની બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં શિક્ષકોની ભરતીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષકોની ખાલી પડેલી 5360 જેટલી જગ્યાઓ ભરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી સપ્ટેમ્બરના અંતમાં ટેટની પરીક્ષા લેવામાં આવશે, એવું શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.

Advertisement

મહત્વનું છે કે, રાજ્યની સરકારી સ્કૂલોમાં શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. ત્યારે શિક્ષકોની ભરતી માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે ગુજરાત રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળી હતી. જેમાં 5360 જગ્યાઓ પર શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, શિક્ષકોની 5360 જગ્યા ભરવામાં આવશે. શિક્ષકોની ખાલી પડેલી જગ્યા ભરવા માટે કાર્યવાહી કરવામા આવશે. ફેરબદલીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શિક્ષકોની ભરતી કરવામાં આવશે. તો આગામી સમયમાં ટેટની પરીક્ષા પણ લેવામાં આવશે.

ત્યારે સપ્ટેમ્બરના અંતમાં ટેટની પરીક્ષા પણ લેવાની વાત જીતુ વાઘાણીએ કરી હતી. સાથે જ એવું પણ જણાવ્યું કે, શિક્ષણ વિભાગને નવા નવા આયામો પણ સિદ્ધ કર્યા છે. ભરતી એ સતત ચાલતી પ્રક્રિયા છે અને સમયે સમયે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લે 3300 ભરતી કરવામાં આવી હતી. કેટલાંક જિલ્લાઓમાં જિલ્લા ફેરબદલની અરજીઓ પેન્ડિંગ છે. ત્યારે ફેરબદલીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શિક્ષકોની ભરતી કરવામાં આવશે. રાજ્યના વિવિધ જિલ્લીઓમાંથી માહિતી પણ એકત્ર કરવામાં આવી છે. જે મુજબ 5360 જગ્યાઓ ભરવાનો નિર્ણય શિક્ષક વિભાગે લીધો છે.

ત્રણ વર્ષથી નથી લેવાઈ પરીક્ષા

જીતુ વાઘાણીએ એવું પણ જણાવ્યું કે, શિક્ષણ વ્યવસ્થાને નુકસાન ન થાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી ભરતી માટેના ફોર્મ ભરવાની વ્યવસ્થા પણ ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે. સાથે સાથે ટેટની પરીક્ષા લેવાય એવી વિદ્યાર્થીઓની રજૂઆત હતી. અંદાજે છેલ્લાં ત્રણેક વર્ષથી આ પરીક્ષા લેવામાં આવી નથી. જે ટૂંક સમયમાં લેવામાં આવશે. સપ્ટેમ્બરના અંત સુધીમાં આ પરીક્ષા અને ભરતી પ્રક્રિયા શરુ કરવાની વ્યવસ્થા હાથ ધરવામાં આવશે. ત્યારે શિક્ષણ વિભાગની આ જાહેરાત બાદ ટેટના ઉમેદવારમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.