Abtak Media Google News

કાલાવડ સમાચાર

Website Template Original File1 3

કાલાવડ તાલુકામાં નવા રણુજા ગામમાં સુપ્રસિદ્ધ રામદેવજી મહારાજનું મંદિર આવેલ છે.ત્યાં દર વર્ષે 3 દિવસીય ભાતિગળ મેળો યોજાય છે. ભાદરવા સુદ નોમ, દશમ , અગિયારસ એમ ત્રણ દિવસ નો લોક મેળો યોજાય છે. 24 સપ્ટેમ્બર થી 26 સપ્ટેમ્બર સુધી નવા રણુજા ધામે મેળો યોજાશે.

Screenshot 4 6

મેળાના સ્ટોલ માટે 14 સપ્ટેમ્બર થી 17 સપ્ટેમ્બર સુધી કાલાવડ મામલતદાર કચેરી ખાતે અરજી કરવાની રહેશે.પ્રાઈમ લોકેશનવાળા યાંત્રિક, જાહેરાત, પાર્કીંગ તથા આઈસ્ક્રીમના પ્લોટની હરરાજી કરવામાં આવશે.ખાણીપીણીના તથા અન્ય પ્લોટ ડ્રો થી ફાળવવામાં આવશે. ડ્રો તા. ૨૦ સપ્ટેમ્બરના સવારે 11 વાગ્યે કાલાવડ મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવશે.

રાજુ  રામોલિયા

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.