Abtak Media Google News

રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા સદસ્યતાના વૃદ્ધિ અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ: ૬ જુલાઈી ૧૧ ઓગષ્ટ સુધી સદસ્યતા વૃદ્ધિ અભિયાન ચાલશે

રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ ડિ.કે.સખીયાના અધ્યક્ષસ્થાને અને સંગઠન પર્વના પ્રદેશ ઇન્ચાર્જ ભાર્ગવભાઈ ભટ્ટ, સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, જીલ્લા મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરા, સંગઠન પર્વના ઝોન ઇન્ચાર્જ કિરીટસિંહ રાણા, સંગઠન પર્વના જીલ્લા ઇન્ચાર્જ દિલીપભાઈ ગાંધી, સહ-ઇન્ચાર્જ નાગદાનભાઈ ચાવડા તથા મીનાક્ષીબેન સોજીત્રા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા સહીતના પ્રદેશ-જીલ્લાના આગેવાનો ઉપસ્થિત રહી સદસ્યતા વૃદ્ધિ અભિયાનના કાર્યક્રમને વેગ આપવા પ્રસંગોચિત માર્ગદર્શન આપ્યું હતું.

Advertisement

આ તકે જીલ્લા અધ્યક્ષ ડિ.કે.સખીયાએ ઉપસ્થિત સર્વે ભાજપા આગેવાનો-કાર્યકર્તાઓનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, ભાજપા કાર્યકર્તાબેઝ પાર્ટી છે. જેને કારણે ભાજપા ગુજરાતમાં તેમજ દેશભરમાં કેશરિયો લહેરાવ્યો છે. કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા. તમામ જીલ્લા-તાલુકા બુથ સુધી ઘરે-ઘરે ફરીને સદસ્યતા બનાવી તમામ લોકોને રાષ્ટ્રીય વિચારધારામાં જોડવા લાગી જઈએ. સંગઠન પર્વમાં ભાજપાના કાર્યકર્તાઓ પાછી પાની નહિ કરે.આ તકે ભાર્ગવભાઈ ભટ્ટે કાર્યકર્તાઓને પ્રેરણાત્મક માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ડો.શ્યામાપ્રસાદ મુખર્જી તેમજ વરિષ્ઠ ૧૧ લોકોથી શરુ થયેલી ભાજપાની યાત્રામાં આજે ૧૧ કરોડ ભાજપાના સદસ્યો છે. સંગઠન પર્વમાં સંખ્યા નહિ પરંતુ જન-જનને જોડીને પાર્ટીને વધુ મજબુત બનાવી રાષ્ટ્રને મજબુત બનાવવાનો સંકલ્પ છે. ભાજપા સિદ્ધાંત અને નિષ્ઠાને વરેલો પક્ષ છે. પક્ષના વિચારને વ્યાપ્ત કરવાનું કામ સંગઠનનું છે.

કાર્યક્રમનું સંચાલન જીલ્લા ભાજપા મહામંત્રી ભાનુભાઈ મેતાએ કરતા જણાવ્યું હતું કે, સમાજનો દરેક વર્ગ દરેક વિસ્તારમાં ભાજપાનો વિચારધારાનો વ્યાપ વધે તેવા પ્રયત્નો સહુના રહે છે.

આ તકે પ્રકાશભાઈ સોનીએ ઓનલાઈન સદસ્યતા અંગેની માહિતી આપતા જણાવ્યું કે,  ૮૯૮૦૮૦૮૦૮૦ નંબર પર કોલ કરવાથી એક મેસેજ મળશે. જેમાં આપેલ લીંક પર ક્લિક કરવાથી ફોર્મ ખુલશે. જેમાં જરૂરી વિગતો ભરી સબમિટ કરવાથી કોઇપણ વ્યક્તિ ભાજપાનો પ્રાથમિક સભ્ય બની શકશે. આ બાબતે તમામ આઈ.ટી.ના સભ્યોએ તાલુકાએ કેમ્પ કરીને લોકોને માર્ગદર્શન આપશે.

આ કિરીટસિંહ રાણાએ તેમના ઉદબોધનમાં સદસ્યતા અભિયાનમાં આ વખતે રાજકોટ ઉપરાંત પુરા સૌરાષ્ટ્રમાં વધુમાં વધુ સદસ્યતા નોંધવા કાર્યકર્તાઓ ખંભે-ખંભા મિલાવીને ઘર-ઘર, જન-જન સુધી પહોચવા અભિયાન કરીને આપણી વિચારધારામાં લોકોને જોડીએ. સદસ્યતા અભિયાન એ રાષ્ટ્રની વિચારધારામાં જોડવાનું અભિયાન છે.આ કાર્યક્રમમાં જીલ્લાની અને ઉપરના સ્તરની જવાબદારી ધરાવતા પાર્ટીના અને મોરચાના પદાધિકારી, સાંસદ, ધારાસભ્ય (વર્તમાન અને પૂર્વ), બોર્ડ-નિગમના ચેરમેન, વા.ચેરમેન, જીલ્લા સંકલન સમિતિ, જીલ્લાના પ્રમુખ-પ્રભારી-હોદેદારો, જીલ્લાના મોરચાના પ્રમુખ-મહામંત્રી, જીલ્લાના આઈ.ટી. ઇન્ચાર્જ અને આઈ.ટી.ટીમ, જીલ્લાના સંગઠન પર્વના ઇન્ચાર્જ, સહ-ઇન્ચાર્જ, મંડલના પ્રમુખ-મહામંત્રી-પ્રભારી, મંડલના સંગઠન પર્વના ઇન્ચાર્જ,સહ-ઇન્ચાર્જ, મંડલના મોરચા પ્રમુખ,  સિનીયર કાર્યકર્તા સહીતના જીલ્લા તથા તાલુકાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.