Abtak Media Google News

જીરાનો ઉપયોગ દરેક ઘરમાં મસાલાના રૂપમાં કરવામાં આવે છે. જીરમાં એવા અનેક ગુણો છે જે તમારા સ્વાસ્થ્યને સારુ બનાવી રાખે છે. આ સાથે જ તેમા રહેલ એન્ટીઓક્સીડેન્ટ્સ અને ન્યૂટ્રિઅન્ટ્સ આપણને અનેક પ્રકારની બીમારીઓથી દૂર રાખે છે. જો વાત જીરાના પાણીની કરીયે તો તેને રોજ પીવાથી વજન ઓછુ તો થાય છે સાથે જ અનેક પ્રકારની પરેશાનીઓ દૂર રહે છે.

ડાયાબિટીસ : રોજ આ પાણી પીવાથી શરીરનું ગ્લુકોઝનું લેવલ યોગ્ય રહે છે. જેનાથી ડાયાબિટીસનો ખતરો ઓછો થાય છે.

તાવ : તાવમાં જીરાનું પાણી પીવાથી લોહી ઠીક થાય છે અને શરીરને ઠંડક મળે છે.

બીપીની સમસ્યા : જીરાનું પાણી બ્લડ સરકયુલેશનને સારુ બનાવે છે સાથે જ તેનાથી હાઈ બીપીની સમસ્યા દૂર થાય છે.

વજન કંટ્રોલ : રોજ સવારે જીરાનું પાણી પીવાથી શરીરમાં રહેલ ફેટ ઓછુ થાય છે અને વજન કંટ્રોલમાં આવે છે.

ડાયજેશન : જીરાનું પાણી શરીરનું ડાયજેશન સારુ રાખે છે અને તેનાથી કબજીયાતની સમસ્યા દૂર થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.