Abtak Media Google News

 

  • ડો. માંડવિયા આજથી બે દિવસ પોરબંદર બેઠકના ચૂંટણીલક્ષી પ્રવાસે

પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવીયા પોરબંદર લોકસભા બેઠકના પ્રવાસે આવ્યા છે.

લોકસભામાં સમાવિષ્ટ સાત વિધાનસભાનો પ્રવાસે કરશે. કાર્યકર્તા બેઠક, પ્રબુઘ્ધ નાગરીક સંમેલન, વિવિધ મંદિર દર્શન જેવા કાર્યક્રમોમાં ભાગ લેશે.

ડો. મનસુખ માંડવીયા આજે કુતિયાણા અને કેશોદ વિધાનસભા તથા કાલે ધોરાજી-ઉપલેટા અને જેતપુર-જામકંડોરણા વિધાનસભા ખાતે કાર્યકર્તા બેઠક, પ્રબુઘ્ધ નાગરીક સંમેલન તેમજ વિવિધ દેવસ્થાનના દર્શન જેવા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો મનસુખ માંડવીયા આજે સવારે કુતિયાણા વિધાનસભા કાર્યકર્તાઓ સાથે મુલાકાત તેમજ બેઠક યોજી હતી. બપોરે આઇ સોનલમાં મદિર, મઢડા ખાતે દર્શન કર્યા હતા. ત્યારબાદ કેશોદ વિધાનસભા કાર્યકર્તાઓ સાથે મુલાકાત તેમજ બેઠક યોજી હતી. સાંજે કેશોદ જલારામ મંદિર દર્શન કરશે કશેોદમાં આવાસ લાભાર્થીઓના નિવાસ સ્થાને ભોજન લેશે. આજે રાત્રે અંતિમ કાર્યક્રમમાં કેશોદ ખાતે પ્રબુઘ્ધ નાગરીક સંમેલન યોજાશે.

દરમિયાન આવતીકાલે ધોરાજીના તોરણીયા મંદિર ખાતે દર્શન કરશે. જેતપુર વિધાનસભા કાર્યકર્તા સાથે મુલાકાત તેમજ બેઠક યોજાશે. જેતપુર ખાતે પૂ. બાલકૃષ્ણલાલજી હવેલી દર્શન, સ્વામીનારાયણ સ્થાન મંદિરે દર્શન કરશે અને રાત્રે પ્રબુઘ્ધ નાગરીક સંમેલન યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.