Abtak Media Google News

કેજરીવાલને મળીને જોઈ લીધું આમ આદમી પાર્ટી ગુજરાતનું ભલુ કરીશકે તેમ નથી: રમેશભાઈ સોલંકી અને રાણીબેન પરમારના ચાબખા

પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજપુતના જણાવ્યા અનુસાર થોડા દિવસ પૂર્વે થોરાળામાં જઈને  અરવિંદ કેજરીવાલ એ ગેરંટી કાર્ડનું વિતરણ કર્યું હતુ અને આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો આમ કરશું અને તેમ કરશું તેવા  વચનો આપ્યા હતા અને પ્રજાને ધોળા દિવસે સપના દેખાડયા હતા .

થોરાળા વિસ્તારના આ નાગરિકોને પોતાની જાતને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ગણાવતા હકીકતમાં કોંગ્રેસના સીમ્બોલ ઉપર ચુંટાયેલા લોકોએ આ વિસ્તારના લોકોને ભ્રમમાં નાખ્યા હતા રમેશભાઈ સોલંકી , હીરેનભાઈ , કેશુભાઈ , અમરશી મામા , પરમારભાઈ , ગીરીશભાઈ એમ . , કાળુભાઈ ગોહેલ , જીજ્ઞેશ પરમાર, રમેશભાઈ રામાભાઈ , નાનાભાઈ પોલાભાઈ , ભુરાભાઈ વાઘેલા , કેતન પરમાર , નીતિન શારેસા , વિશાલ વાઘેલા , મિતુલ ખીમસુરીયા , ગોવિંદ ગોહેલ , સોકટભાઈ શેખ , મિહીર પરમાર તેમજ બહેનોમાં રાણીબેન પરમાર , વર્ષાબેન સોલંકી , રંજનબેન કનુભાઈ ગઢવી , નજમાબેન હનીફભાઈ શેખ , રોશનબેન જુડાસ , રસીલાબેન કુંભાર , જયશ્રીબેન બાવાજુ નિકીતા સોલંકી , લાભુબેન પંચાલ , રેખાબેન ગામી , રીટાબેન કુંભાર , રતનબેન ગોહેલ , શાંતુબેન ગોહેલ , મીનાબેન ગોહેલ , રાધાબેન ચૌહાણ , રાજુબેન ખીમસુરીયા , શોભનાબેન ટોપીયા વિગેરે ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં તમામ લોકોએ કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે. કોંગ્રેસી કાર્યકરોએ આજે પ્રદેશના મહામંત્રી મહેશ રાજપૂત સહિતનાની ઉપસ્થિતિમાં જણાવ્યું હતું કે માત્ર વાતો કરવાથી વિકાસ થતો નથી અને સપના દેખાડવાથી પણ લોકોનું ભલું થતુ નથી તે અમે સમજી ગયા છીએ.

કાર્યક્રમમાં વોર્ડ નં . 15 ના પ્રમુખ વાસુદેવભાઈ ભંભાણી, પૂર્વ કોર્પોટર પ્રવિણભાઈ સોરાણી , વશરામભાઈ ચાંડપા , હીરાભાઈ પરમાર, અરવિંદ મુછડીયા, પાર્થ બગડા, પરેશ સોલંકી , હીરાભાઈ ચાવડા , મનિષાબેન પરમાર વિગેરે આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.