Abtak Media Google News

ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પા શુક્રવારે કર્ણાટકના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે, યેદિયુરપ્પા ચોથી વખત કર્ણાટકના CM બન્યાં છે. શપથ પહેલાં તેઓ રાજ્યપાલ વજુભાઈ વાળાને મળવા રાજભવન પહોંચ્યા હતા. તેઓએ કર્ણાટકમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. 31 જુલાઈએ યદિયુરપ્પાને વિધાનસભામાં બહુમતી પુરવાર કરવી પડશે. 23 જુલાઈએ કુમારસ્વામી બહુમતી પુરવાર કરી શક્યા ન હતા.

વિશ્વાસ મત પ્રસ્તાવ પડવાથી કોંગ્રેસ- જેડીએસ ગઠબંધનની સરાકર માત્ર 14 મહિનામાં જ પડી ગઈ હતી. જે બાદ યેદિયુરપ્પા ચોથી વખત સરકાર બનાવવા માટે કેન્દ્રીય નેતૃત્વ પાસેથી ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.