ગીર-સોમનાથ જિલ્લામાં વૈશ્વિક મહામારી કોરોનાને માત આપવા રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા સાથે જિલ્લા કલેકટર અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર સાથે આરોગ્ય વિભાગ સમગ્ર જિલ્લામાં સઘન કામગીરી કરી રહ્યું છે. કોરોનાગ્રસ્ત દર્દીને તાત્કાલીક સારવાર મળે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. જિલ્લામાં 8 ખાનગી હોસ્પિટલને કોવીડ-19 હોસ્પિટલ તરીકે માન્યતા આપવામાં આવી છે. તાલુકા મથકે કોવીડ કેસ સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં 34 ધન્વંતરી રથ દ્વારા દરરોજ 1600થી વધુ લોકોના આરોગ્યની તપાસણી કરવામાં આવી રહી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-29, સબ સેન્ટર-174, અર્બન હેલ્થ સેન્ટર-4 દ્વારા લોકોના આરોગ્યની તપાસણી, રસીકરણ, કોરોના ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવી રહી છે. આર્યુંવેદીક અધિકારીશ્રી ગોહીલે જણાવ્યા મુજબ જિલ્લનાં 8 આર્યુવેદિક દવાખાના, 6 હોમીયોપેથીક દવાખાના દ્વારા અત્યારસુધીમાં 4 લાખથી વધુ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે. 68 હજારથી વધુ લોકોને સંશમનીવટી નું વિતરણ કરવામાં આવ્યું છે અને હોમીયોપેથીક આર્સેનીક આલ્બંબ દવા 8 લાખથી વધુ ડોઝનું વિતરણ કરવામાં આવેલ છે. જિલ્લામાં 57 રસીકરણ કેન્દ્રો મારફતે રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ. ભાયાની યાદીમાં જણાવાયું છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ