Abtak Media Google News

જય વિરાણી, કેશોદ

Advertisement

એક તરફ સરકાર ખેડૂતોને 24 કલાક વીજળી પૂરી પાડવાના વાયદા કરી રહી છે તો બીજી તરફ લોકોને વીજળીના અણધણ વહીવટના કારણે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આ સમસ્યા આજ-કાલની નથી પરંતુ છેલ્લા ઘણા સમયથી સમગ્ર ગુજરાતના ખેડૂતો પૂરતા પ્રમાણમાં વીજળી ન મળતા હેરાન થાય છે. તંત્રની બેદરકારીના કારણે વારંવાર વિજપુરવઠો ખોરવતા કામગીરી ઠપ્પ થતી હોય છે. ત્યારે કેશોદમાં પણ કઈંક આવી જ હાલત થઈ છે.

કેશોદમાં વીજળીના અવ્યવસ્થિત પુરવઠાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ગામમાં મેઈનટેનન્સ કામગીરી ન કરાતાં વારંવાર વિજ વિજપુરવઠો ખોરવાઈ જાય છે. જેના લીધે પાક નિષ્ફળ જશે તેવી ખેડૂતોમાં બીક પગ પેસારો કરી ગઈ છે. વીજળીની સમસ્યાથી સમગ્ર તાલુકાનાં ખેડૂતો ત્રાંસી ગયા છે.

Screenshot 2 71

PGVCLની આ ઘોર બેદરકારીથી કંટાડીને સમયસર મેન્ટેનન્સ કામગીરી ન કરાતાં ખેડુત પુત્ર હિત રક્ષક સમિતી દ્વારા ઈચ્છા મૃત્યુની માંગણી કરવામાં આવી છે. તેમણે ઈચ્છા મૃત્યુની માંગણી કરતો પત્ર મુખ્યમંત્રી અને કલેક્ટરને સંબોધીને પત્ર લખવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.