Abtak Media Google News

‘ત્રિશલાનંદન વીરકી, જય બોલો મહાવીર કી’

ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવમાં અઢારેય આલમ અને સામાજીક સંસ્થાઓ અને રાજકીય પાર્ટીઓ દ્વારા ધર્મયાત્રાનું સ્વાગત કરવામાં આવશે

‘અબતક’ની શુભેચ્છા મુલાકાત જૈનમની ટીમ

જૈનમ્ દ્વારા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિને તા.4-4-2023ને ગુરુવારનાં રોજ ભવ્યાતિત વીર પ્રભુની ધર્મયાત્રા ‘ત્રિશલાનંદન વીરકી, જય બોલો મહાવીર કી’ના ગગન ભેદી નાદ સાથે યોજાશે. સવારે 8.00 કલાકે રથયાત્રા રૂટ : સવારે 8.00 કલાકે મણીયાર દેરાસરજીથી પ્રારંભ, સાંજ સમાચાર કોર્પોરેટ હાઉસ, શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, ફુલછાબ ચોક, અકિલા પ્રેસ, મોટી ટાંકી ચોક, લિમડા ચોક, જવાહર રોડ, ત્રિકોણ બાગ, બાપુનાં બાવલા, ભુપેન્દ્ર રોડ, મુળવંતભાઈ દોમડીયા ચોક, ડુંગરસિંહજી મ.સા. ચોક, શ્રી વિરાણી પૌષધશાળા ખાતે સમાપન-ધર્મસભા પરિવર્તીત થશે.

‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા સાથે વાતચીત કરતા નિલેશભાઇ શાહએ જણાવ્યું હતું કે ધર્મયાત્રામાં રાજકોટમાં બિરાજમાન સાધુ-સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં આકર્ષક ફ્લોટ્સ સાથે બહોળી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાશે. આ ધર્મયાત્રામાં પ્રભુવીરના જીવનદર્શનને લગતા ફલોટસ, જૈન સમાજ દ્વારા થતી ધાર્મિક-સામાજિક પ્રવૃતિઓના ફલોટસ, જીવદયાના ફલોટસ સામેલ થશે. ઉપરાંત ધર્મયાત્રાનાં રૂટ ઉપર આકર્ષક અને મનમોહક રંગોળી, ભગવાનનો રથ, ધર્મધજા, સુશોભીત કરેલ કાર-બાઈક-સાઈકલ સવારો, કળશધારી બાળાઓ, બેડાધારી બહેનો, બાળકોની વેશભુષા, રાસની રમઝટ બોલાવતી રાસ મંડળી, નાસિક ઢોલની સાથે સાથે મ્યુઝીકલ બેન્ડ સુરાવલી રેલાવતા સાથે ભવ્ય ધર્મયાત્રા નિકળશે. ધર્મસભા બાદ પ્રભાવના માતુશ્રી સુશીલાબેન કાંતીલાલ વોરા તથા શ્રીમતિ માલાબેન રાજેશભાઈ પારેખ દ્વારા લાભ લીધેલ છે.

ફ્લોટ્સ બનાવનાર તમામને રૂ.11000ની અનુમોદના આપવામાં આવશે. ઉપરાંત ફલોટસમાં શ્રેષ્ઠ પાંચ ફલોટસને ઇનામો આપવામાં આવશે. જેમાં પ્રથમ નંબરને રૂા. 5000, બીજા નંબરને રૂા. 4000, ત્રિજા નંબરને રૂા. 3000, ચોથા નંબરને રૂા. 2000, પાંચમા નંબરને રૂ. 1000નો રોકડ પૂરસ્કાર આપવામાં આવશે. ધર્મયાત્રાની શરૂઆતમાં લકકી ડ્રોની ટીકીટો આપવામાં આવશે. જેનો ડ્રો ધર્મસભામાં કરવામાં આવશે. ફલોટ બુકીંગ માટે અમીત દોશી- 93274 91973, ઉદય ગાંધી-94266 22122, હેમલ પારેખ-99094 11399, મૌલીક મહેતા-94287 88583 ઉપર સંપર્ક કરવાનો રહેશે.

ધર્મયાત્રામાં જૈન સમાજનાં બાળકો વેશભુષા સાથે બહોળી સંખ્યામાં જોડાશે. આ વેશભુષામાં જોડાનાર બાળકને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. બાળકોની વેશભુષા માટે ઋષભ શેઠ- 93748 39747, અમિષ દેસાઈ-98256 28180, નિપૂણ દોશી-98255 97612 નો સંપર્ક કરવાનો રહેશે.

ધર્મસભાનાં રૂટ ઉપર મનમોહક અને આકર્ષક રંગોળીનું આયોજન કરવામાં આવેલ છે, જેના રંગોળી સ્પર્ધાનાં વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. જ્યારે રંગોળી સ્પર્ધામાં કોઇપણ જ્ઞાતિનાં ભાઈ-બહેનો જોડાય શકે છે તેનાં રજીસ્ટ્રેશન માટે પારસ શેઠ – 98252 88332, જય મહેતા – 98982 67933, હેમલ શાહ – 98248 22682, ફેનીલ મહેતા – 90337 22482, શૈલેન શાહ 97254 40005, અક્ષત પારેખ – 94264 01104, જીજ્ઞેશ મહેતા 98797 81641નો સંપર્ક કરવાનો રહેશે.

શ્રી વિરાણી પૌષધશાળા ખાતે રાજકોટમાં બિરાજમાન સ્થાનકવાસી, મૂર્તિપૂજક સંઘોનાં સાધુ- સાધ્વજીઓની પાવન નિશ્રામાં શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ તકે પધારેલ સાધુ-સાધ્વીઓ આશિર્વચન ફરમાવશે.

આ ભવ્યાતિ ભવ્ય આયોજનમાં રાજકોટનાં શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘ, શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંઘ(માંડવી ચોક દેરાસર), શ્રી રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ, શ્રી શાલીભદ્ર સરદારનગર જૈન સંઘ, શ્રી સદર સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી આનંદનગર સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, શ્રી રામકૃષ્ણનગર સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી ભકિતનગર સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી ગીતગુર્જરી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, શ્રી ગોંડલ રોડ વેસ્ટ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, શ્રી નેમીનાથ વિતરાગ સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી ઈન્દ્રપ્રસ્થ સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી નાલંદા જૈન સંઘ, શ્રી મનહરપ્લોટ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, શ્રી સંઘાણી સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી નવકાર જૈન મંડળ, શ્રી ઋષભદેવ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, શ્રી અજરામર સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી શેઠ સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી પ્રહલાદ પ્લોટ સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી મહાવીરનગર સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, શ્રી ઉગ્વસગ્ગહરં સાધના સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, શ્રી જંકશનપ્લોટ સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી જૈન ચાલ સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી શ્રમજીવી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, શ્રી રેસકોર્ષ પાર્ક સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી વૈશાલીનગર સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી રાજગીરી ઉપાશ્રય(પંચાયતનગર), શ્રી પંચવટી શ્વેતાંબર મુર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ, શ્રી જાગનાથ શ્વેતાંબર મુર્તિપૂજક જૈન સંઘ, શ્રી જાગનાથ જિનાલય, શ્રી કાલાવડ રોડ શ્વેતાંબર મુર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ (પારસધામ), શ્રી શાંતિનાથ શ્વેતાંબર મુર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ, શ્રી મણીયાર જૈન દેરાસર શ્રાવક-શ્રાવિકા, શ્રી સિધ્ધચક્ર શ્ર્વેતાંબર મુર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ (કાચ જિનાલય), શ્રી રૈયા રોડ શ્વેતાંબર મુર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ, શ્રી વર્ધમાનનગર જૈન સંઘ, શ્રી પ્રહલાદ પ્લોટ શ્વેતાંબર મુર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ, શ્રી આનંદનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ, શ્રી યુનિવર્સિટી રોડ શ્વેતાંબર મુર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ, શ્રી ગાંધીગ્રામ શ્વેતાંબર મુર્તિપૂજક જૈન સંઘ, શ્રી વિમલનાથ દેરાસર, શ્રી સાધુવાસવાણી રોડ જૈન તપગચ્છ સંઘ, શ્રી કૃષ્ણનગર જૈન તપગચ્છ સંઘ, શ્રી રણછોડનગર જૈન તપગચ્છ સંઘ, શ્રી નંદનવન દેરાસર-યુનિ.રોડ, શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, શ્રી પંચનાથ પ્લોટ અને તીરૂપતિનગર (કાનજી સ્વામી સંપ્રદાય), શ્રી રાજચંદ્ર મુમુક્ષુ મંડળનાં પદાધિકારીઓએ શ્રાવક- શ્રાવિકાઓને ઉત્સાહ ભેર જોડાવવા અપીલ કરી છે.

ધર્મયાત્રામાં કાર સાથે જોડાવવાનાં રજીસ્ટ્રેશન માટે જીતુ લાખાણી-93741 01574, વૈભવ સંઘવી – 94269 06727, નિશાંત વોરા – 98252 57899, હિતેશ શાહ – 98243 51533, કિર્તી દોશી – 94290 48728 તેમજ બાઈક રજીસ્ટ્રેશન માટે ઋષી વસા- 99241 15859, સમીપ કોઠારી – 95740 13139, વંદિત દામાણી – 85111 57872, કેવીન ઉદાણી – 81539 39227, આકાશ ભાલાણી – 81402 67267નો સંપર્ક કરવાનો રહેશે.

સમગ્ર આયોજનમાં રાજકોટના તમામ જૈન સોશ્યલ ગ્રુપ જેમ કે મેઇન, વેસ્ટ, મીડટાઉન, ડાઉન ટાઉન, રોયલ, એલીટ, યુવા, સેન્ટ્રલ, સંગીની મીડટાઉન, ડાઉન ટાઉન, એલીટ, જૈન જાગૃતિ સેન્ટર-મેઇન, જૈન યુવા ગ્રુપ, જૈન યુવા ગ્રુપ જુનિયર, અર્હમ સેવા યુવા ગ્રુપ, દિગંબર સોશ્યલ ગ્રુપ તેમજ પ્રભાવનાની વ્યવસ્થામાં શ્રી સરદારનગર યુવક મંડળ જોડાશે.

‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે નીલેશભાઇ કામદાર, નીલેશભાઇ શાહ, ચેતનભાઇ કામદાર, જીતુભાઇ લાખાણી, પીનાકીનભાઇ શાહ, યતેન્દ્ર જૈન, ધવલભાઇ શાહ, રાજેશભાઇ મોદી અને નીલેશભાઇ ભાલાણી (ભીમભાઇ) ઉપસ્થિત રહ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.