Abtak Media Google News
  • મંદિરો કોઈ પીકનીક પોઇન્ટ નથી, બિન-હિન્દૂઓને પ્રવેશવાની મનાઈ છે તેવા બોર્ડ મંદિર બહાર લગાવી દયો : મદ્વાસ હાઇકોર્ટ

તામિલનાડુના મંદિરોમાં હવે હિન્દૂ સિવાયના લોકોને મંદિરની અંદર પ્રવેશવું હશે તો ધર્મ અને રીતિ રિવાજોનું પાલન કરવું પડશે. અન્યથા મંદિરમાં પ્રવેશવા ઉપર મનાઈ હશે તેવો હાઈકોર્ટે આદેશ આપ્યો છે.

મદ્રાસ હાઈકોર્ટે મંગળવારે તમિલનાડુ સરકારને મંદિરોમાં બોર્ડ લગાવવાનો આદેશ આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે બિન-હિન્દુઓને મંદિરમાં પ્રવેશની મંજૂરી નથી. કોર્ટે કહ્યું- મંદિર એ પિકનિક સ્પોટ નથી જ્યાં કોઈ પણ જઈ શકે અને હિંદુઓને તેમના ધર્મને માનવા અને તેનું પાલન કરવાનો મૂળભૂત અધિકાર છે.

હાઈકોર્ટની મદુરાઈ બેંચના જસ્ટિસ એસ શ્રીમાથીએ ડી સેંથિલકુમારની અરજી પર સુનાવણી કરતા આ નિર્ણય આપ્યો હતો.  સેંથિલકુમાર પલાની હિલ ટેમ્પલ ભક્ત સંગઠનના કન્વીનર છે.અરજદાર સેંથિલકુમારની માગણી હતી કે અરુલમિગુ પલાની ધનાદયુથપાની સ્વામી મંદિર અને અન્ય મંદિરોમાં માત્ર હિન્દુઓને જ જવાની મંજૂરી આપવી જોઈએ.  આ સંદર્ભે તમામ પ્રવેશદ્વારો પર ડિસ્પ્લે બોર્ડ લગાવવામાં આવે તેવું પણ તેઓ ઇચ્છતા હતા.

અરજી સ્વીકારીને, કોર્ટે રાજ્ય સરકારને મંદિરોના પ્રવેશદ્વારની નજીક, ધ્વજધ્વજ પાસે અને મંદિરમાં અગ્રણી સ્થાનો પર ‘બિન-હિન્દુઓને મંદિરની અંદર મંજૂરી નથી’ એવા બોર્ડ લગાવવા આદેશ આપ્યો હતો. વધુમાં જજે એવું પણ કહ્યું કે હિંદુઓના મંદિરોની તેમના રીતિ-રિવાજ મુજબ પવિત્રતા જાળવવી અને મંદિરોને કોઈપણ પ્રકારની અનૈતિક ઘટનાઓથી બચાવવાની મારી ફરજ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.