Abtak Media Google News

લુધિયાણા: વાલ્મિકી સમાજની ભાવનાને ઠેંસ પહોચાડવાના એક કેસમાં લુધિયાણા કોર્ટે અભિનેત્રી રાખી સાવંતનું એરેસ્ટ વોરંટ ઈશ્યુ કર્યું છે. સોમવારે આ કેસમાં રાખીએ અદાલતમાં હાજર થવાનું હતુ પરંતુ મુંબઈથી તે લુધિયાણા કોર્ટમાં પહોચી ન હતી કોર્ટે તેની આગોતરા જામીન અરજી નકારી ધરપકડ વોરંટ ઈશ્યું કરી દીધું છે.જયુડિ. મેજીસ્ટ્રેટ વિશ્ર્વા ગુપ્તાએ આ કેસની સુનાવણી માટે આગામી તા.૬ સપ્ટેમ્બર મુકરર કરી છે.ઉલ્લેખનીય છે કે રાખી સાવંતએ એક ટોક શોમાં વાલ્મિકી વિશે વિવાદાસ્પદ વાત કરીને વાલ્મિકી સમાજની નારાજગી વહોરી લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.