Abtak Media Google News

હાલ જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્વક પૂર્ણ થતાં હવે તંત્ર તલાટીની પરીક્ષાનું આયોજન કરવાની તૈયારીઓમાં લાગી ચૂક્યું છે. જો કે, તલાટીની પરીક્ષા માટે પૂરતા કેન્દ્ર ન મળતા હજુ સુધી તારીખ જાહેર કરવામાં આવી નહોતી. જો પૂરતા કેન્દ્રો મળશે તો ૩૦ એપ્રિલે તલાટીની પરિક્ષા લેવાશે તેવી માહિતી હસમુખ પટેલ દ્વારા આપવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલ 30 એપ્રિલે તલાટીની પરિક્ષા નહિ લેવાય તેવું મોટું નિવેદન આપવામાં આવ્યું છે.

Advertisement

ઋષિકેશ પટેલ દ્વારા તલાટીની પરિક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે જે મુજબ ૭ મેના રોજ પરિક્ષા યોજવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.