Abtak Media Google News

કેવી રીતે થઈ ઉત્પતિ ?

Whatsapp Image 2023 09 05 At 17.31.55

ગણેશજીનો જન્મ ભાદ્રપદ શુક્લ ચતુર્થીની બપોરે થયો હતો. એક દંતકથા પાર્વતી સ્નાન માટે ગયા હતા અને બહાર ગણેશને દ્વારપાળ તરીકે બેસાડ્યા હતા એવામાં મહાદેવ આવ્યા અને સ્નાનગૃહમાં જવા માટે કહ્યુ ગણેશેના પાળતા મહાદેવએ તેમનુ શિરચ્છેદ કર્યુ. આના પર બ્રહ્માએ દુઃખી પાર્વતી (સતીને નહીં)ને કહ્યું – ‘જેનું માથું પહેલા મળે તેને ગણેશના મસ્તક પર ચઢાવો.’ પહેલું માથું ફક્ત હાથીના બાળકનું જ મળ્યું હતું. આમ ગણેશ ‘ગજાનન’ બન્યા.

Wp5129281

પાર્વતીજીએ ગણેશને દરવાજા પર બેસાડ્યા પછી સ્નાન કરવાનું શરૂ કર્યું. ત્યારે શિવ આવ્યા અને પાર્વતીના ઘરમાં પ્રવેશવા લાગ્યા. જ્યારે ગણેશજીએ તેમને રોક્યા તો ગુસ્સે ભરાયેલા શિવે તેમનું માથું કાપી નાખ્યું. આ ગણેશની ઉત્પત્તિ પાર્વતીજીએ ચંદનના મિશ્રણમાંથી કરી હતી. જ્યારે પાર્વતીએ જોયું કે તેના પુત્રનો શિરચ્છેદ કરવામાં આવ્યો છે, ત્યારે તે ગુસ્સે થઈ ગઈ. તેમના ક્રોધને શાંત કરવા માટે, ભગવાન શિવે ગણેશજીના માથા પર હાથીના બાળકનું માથું મૂક્યું અને ગણેશ સજીવન થયા.

6Bd156Bc9Fdcbfefbdf168845928E7Da

શ્રી ગણેશનો જન્મ ભાદ્રપદ શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે બપોરે 12 વાગ્યે થયો હતો. એવું કહેવાય છે કે માતા પાર્વતીએ પુત્રની પ્રાપ્તિ માટે પુણ્યક નામનું વ્રત કર્યું હતું. આ વ્રતના કારણે માતા પાર્વતીએ શ્રી ગણેશને પુત્રના રૂપમાં પ્રાપ્ત કર્યા. શિવ મહાપુરાણ અનુસાર, દેવી પાર્વતીને ગણેશ બનાવવાનો વિચાર તેમના મિત્રો જયા અને વિજયાએ આપ્યો હતો. તેના મિત્રોએ તેને કહ્યું હતું કે નંદી અને તમામ ગણો ફક્ત મહાદેવની આજ્ઞાનું પાલન કરે છે, તેથી તમારે પણ એવા ગણની રચના કરવી જોઈએ, જે ફક્ત તમારી જ આજ્ઞાનું પાલન કરે. આ વિચારથી પ્રભાવિત થઈને માતા પાર્વતીએ પોતાના શરીરના મેલમાંથી શ્રી ગણેશની રચના કરી.

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.