Abtak Media Google News

આજે વડોદરામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી બાબા સાહેબ આંબેડકરની સંકલ્પ ભૂમિના સ્મારકનું ખાતમુહૂર્ત કરવા પહોંચ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરાની મુલાકાત લીધી હતી. જયાં બાબા સાહેબ આંબેડકર સંકલ્પભૂમિ પર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

Advertisement

સાથે વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાએ પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.તો આજે બહુજન સમાજ પાર્ટીના માયાવતી પણ વડોદરામાં આવવાના છે. જેથી શહેરમાં રાજકીય માહોલ ગરમાય તો નવાઈ નહીં. માયાવતી નવલખી ખાતે સભાને સંબોધવાના છે. તો મુખ્યમંત્રી પણ ભૂમિ પૂજન બાદ વાઘોડિયા રોડ પર લેપર્સી ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધન કર્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.