Abtak Media Google News

મુલાકાત દરમિયાન સાસંદ પૂનમબેન માડમ, શહેર અઘ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, પૂર્વમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મૂંગરા, પ્રભારી અભયસિંહ ચૌહાણ, શહેર મંત્રી પ્રકાશભાઈ બામભણીયા, મેરામભાઈ ભાટુ, વિજયસિંહ જેઠવા તેમજ સાથી કોર્પોરેટર પરાગભાઈ પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા

અબતક,જામનગર

ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જામનગર શિવ શોભાયાત્રામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ જામનગરના જૈન અગ્રણી અને સિનિયર કોર્પોરેટર નિલેશ કગથરાના નિવાસ સ્થાને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે શુભેરછા મુલાકાત પણ લીધી હતી તેમજ નિલેશ કગથરા અને પરિવારજનોના ખબર અંતર પૂછ્યા હતા અને ટૂંકું રોકાણ કરી વાતચીત કરી હતી.

જામનગર નાગેશ્વર થી ભીડભંજન મહાદેવ મંદિર સુધી ચાંદીની પાલખી ઉપાડી ને શિવભક્તો યાત્રા કરતા હોય છે, આ તબબકે જામનગરની સમગ્ર જનતા રોડ સાઈડ પર ભવ્ય  શિવયાત્રા નિહાળવા તથા તેનું સ્વાગત કરવા એકઠા થતા હોય છે. આ ભવ્ય કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પાલખીને નાગેશ્વર ખાતે થી પ્રસ્થાન કરાવેલ હતું. ત્યારબાદ જામનગરના સિનિયર કોર્પોરેટર અને જૈન અગ્રણી નિલેશભાઈ કગથરાના ઘરે મુલાકાત લીધી હતી.

શુભેરછા મુલાકાત દરમિયાન પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સાથોસાથ સાસંદ પૂનમબેન માડમ, શહેર અઘ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, પૂર્વમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મૂંગરા, પ્રભારી અભયસિંહ ચૌહાણ, શહેર મંત્રી પ્રકાશભાઈ બામભણીયા, મેરામભાઈ ભાટુ, વિજયસિંહ જેઠવા તેમજ સાથી કોર્પોરેટર પરાગભાઈ પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.