Abtak Media Google News

આરોગ્ય કર્મીઓને 130 દિવસની કોવિડ ડયુટીનો પગાર મળશે: પ્રવકતા મંત્રી જીતુભાઇ વાઘાણીની ઘોષણા

રાજય સરકાર દ્વારા આરોગ્ય અને પંચાયત વિભાગના હેલ્થ વર્કરો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય કર્મચારીઓના માસિક પગારમાં 4 હજાર રૂપિયાનો વધારો કરાયો છે. સાથે સાથ તેઓને 130 દિવસની કોવીડ ડયુટીનો રજા પગાર  પણ આપવામાં આવશે.

પ્રવકતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, કર્મચારીઓ સરકારનું અભિન્ન અંગ છે અને રાજ્ય સરકારે કર્મચારીઓના હિતમાં અનેકવિધ નિર્ણયો પણ લીધા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા 42 દિવસથી આરોગ્ય અને પંચાયત વિભાગ હસ્તકના ઋઇંઠ,ઋઇંજ, ખઙઇંઠ અને ખઙઇંજ કર્મીઓ ફરજ ઉપર ગેરહાજર રહ્યા હોવાથી રાજ્યના ગરીબ અને જરૂરતમંદ સામાન્ય નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓમાં ખૂબ જ માઠી અસર થઈ રહી છે. નાગરિકોને હાલાકી ન પડે તે હેતુથી તેમજ કોરોના મહામારી સહિતની આરોગ્યલક્ષી સંકટ સમયે મહત્વપૂર્ણ યોગદાનના સન્માન રૂપે આ હેલ્થ વર્કર કર્મચારીઓની કેટલીક વ્યાજબી અને મહત્વપૂર્ણ માંગણીઓ રાજ્ય સરકારે સ્વીકારી  ફરજ પર હાજર થઈ જવા મંત્રીએ અનુરોધ કર્યો છે.

મુખ્યમંત્રીના દિશાનિર્દેશ હેઠળ મંત્રીમંડળના સભ્યોની રચાયેલ કમિટીના સભ્યોએ આ કર્મચારી મંડળના આગેવાનો સાથે તબક્કાવાર બેઠકો યોજી છે અને તંદુરસ્ત સંવાદ સાથે વ્યાજબી માંગણીઓ પણ કલાકો સુધી ચર્ચાઓ પણ થઈ છે.

નાણાં મંત્રી  કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલ, આરોગ્ય રાજ્ય મંત્રી  નિમિષાબેન સુથાર તેમજ પંચાયત રાજ્ય મંત્રી  બ્રિજેશ મેરજાની ઉપસ્થિતિમાં પ્રવક્તા મંત્રી  વાઘાણીએ રાજય સરકારે લીધેલા નિર્ણયો અંગે માહિતી આપતા જણાવ્યું કે, હેલ્થ વર્કર કર્મચારીઓના પગારમાં માસિક રૂ.4 હજારનો વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે ઉપરાંત આ હેલ્થ વર્કર કર્મીઓને 130 દિવસનો કોવિડ ડયુટીનો રજા પગાર પણ આપવામાં આવશે. જ્યારે ઙઝઅ ફેરણી ભથ્થા અંગેની આ કર્મચારી મંડળની માંગ સ્વીકારીને 8 કિ.મીની મર્યાદા દૂર કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

તાજેતરમાં કર્મચારીહિતલક્ષી લેવાયેલા 15 જેટલા ઐતિહાસિક નિર્ણયોના લાભો પણ આ તમામ કર્મચારીઓને મળવાના જ છે ત્યારે સાતમા પગાર પંચ મુજબના ભથ્થાના લાભ મળવા સહિતના લેવાયેલા વિવિધ નિર્ણયો અંતર્ગત ઠરાવો પણ આગામી ત્રણ દિવસમાં થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.