Abtak Media Google News
સાંસદ અને સૌરાષ્ટ્રના પ્રભારી વિનોદભાઈ ચાવડા અને સંગઠન મહામંત્રી રત્નાકરજી ઉપસ્થિત રહેશે

ધનતેરશના પાવન પર્વે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં ભાજપના અત્યાંધુનિક નવનિર્મિત કાર્યાલયનું પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે ઉદઘાટન કરાશે  શનીવારે સાંજે 5 ક્લાકે શિતલ પાર્ક, 150 ફુટ રીંગરોડ ખાતે 2288 વારની વિશાળ જગ્યા પર સૌરાષ્ટ્ર ઝોન અને રાજકોટ મહાનગરનું ત્રણ માળના અદ્યતન કાર્યાલયનું  નિર્માણ કરવામાં આવ્યું છે.

આઅંગે વધુ માહિતી આપતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી , મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ   , નરેન્દ્રસિંહ ઠાકુરે  જણાવ્યું હતુ કે, ભાજપના  નવનિર્મિત કાર્યાલયનું શિતલ પાર્ક બસ સ્ટોપ પાસે , 150 ફુટ રીંગ રોડ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના વરદ હસ્તે અને સૌરાષ્ટ્ર ઝોનના ભાજપના પ્રભારી અને સાંસદ વિનોદભાઈ ચાવડા , પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને શહેરના સાંસદો , ધારાસભ્યો સહિતના ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં ઉદધાટન કરવામાં આવશે .

આ અત્યાધુનીક કાર્યાલય 2200 વાર કરતા વધુ વિશાળ જગ્યા પર ફેલાયેલુ અને અદ્યતન બાંધકામ અને સંપુર્ણ સુવિધાસભર સાથે આકાર લઈ રહયુ છે ત્યારે વર્ષો પહેલા એક નાની ઓરડીથી શરૂ થયેલ ભાજપ કાર્યાલય આજે એક વિશાળ જગ્યા પર અદ્યતન રીતે આકાર લઈ રહ્યુ છે તેનું આજે ગૌરવ છે.

ત્યારે શિતલ પાર્ક બસ સ્ટોપ પાસે તા.22-10 ના સાંજે 5:00 કલાકે ભારતીય જનતા પાર્ટીના નવનિર્મિત કાર્યાલયના ઉદઘાટનના મંગલ અવસરે શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા  અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.