Abtak Media Google News

આજથી આશરે ૨૬૦૦ વર્ષ પૂર્વે બિહારના ક્ષત્રિય કુંડ નગરમાં રાજા સિઘ્ધાર્થ અને રાણી ત્રિશલાને ત્યાં ચૈત્ર સુદ તેરસના જન્મ ધારણ કરનાર અને જન્મથી સર્વત્ર વૃઘ્ધિ થતાં ‘વર્ધમાન’ નામ અપાયું હતું. તેવા અહિંસાના અવતાર અને જૈનધર્મમાં ર૪માં તીર્થકર પદે બિરાજમાન થયેલા પ્રભુ મહાવીર સ્વામીના નામથી કોણ અજાણ હોઇ શકે !

પ્રભુ મહાવીર સ્વામીના આત્માએ નયસાર સુથારના ભવમાં ભૂલા પડેલા સંતને ભોજન વહોરાવી સમકિત (સાચી સમજણ) ને પ્રાપ્ત કરી ભવકટીની શરૂઆત કરતાં ર૭ ભવમાં પ્રભુના જન્મ-મરણનો અંત આવ્યો ? આપણા ભવભ્રમણનો અંત કયારે ? વિચારજો. ભગવાન મહાવીરના ચાર સંદેશનું મહત્વ સમજાવતા પૂ. ધીરજમુનિ મ.સા.એ જણાવે છે કે

પ્રભુનો પહેલો સંદેશ છે કે – ‘મા-બાપના દિલને કદી દુભવશો નહિ. પ્રભુએ ગર્ભમાં પણ માતાને ઠેસ ન પહોંચે તે માટે જ્ઞાન વડે જાણીને હલન-ચલન શરૂ કરી માતાના ભાવોની પૂર્તિ કરી હતી. આજની પેઢીનો સૂર સંભળાય છે કે મા-બાપનો સ્વભાવ સારો નથી, પણ વિચારજો મા-બાપે જન્મ આપ્યો છે તો સંતાનોનું અસ્તિત્વ છે ! ’

પ્રભુનો બીજો સંદેશ છે કે  – ‘તમારા સુખમાં બીજાને ભાગીદાર બનાવો. સુખનો ભોગવટો તમે એકલા ન કરો. તમારા પરિવારને, સાધર્મિકને હાથ લાંબો ન કરવો પડે એવા ઉદાર બનો. ’ પ્રભુ  મહાવીર સ્વામીએ દીક્ષા પૂર્ર્વે એક વર્ષમાં ૩ અબજ ૮૮ કરોડ ૮૦ લાખ સોનામહોરનું વર્ષીદાન કરેલ. લોભવૃતિ અને પરિગ્રહની આસશિકતને છોડવા માટે દાન અતિ જ‚રી છે.

પ્રભુનો ત્રીજો સંદેશ છે કે – ‘શકિતનું પ્રદર્શન કરશો નહિ. જીવનમાં પુણ્યના ઉદયે પૈસો પ્રાપ્ત થાય છે. માટે પૈસો કે પાવર બતાવવો નહિ. શકિતનું પ્રદર્શન કરનારા રાવણ અને કૌરવો રાખમાં રોળાઇ ગયા. સિકંદર જેવાને પણ ખાલી હાથી જ જવુંં પડયું’

પ્રભુનો ચોથો સંદેશ છે કે – ‘નિરાશ કદી બનશો નહિ, ‘શુભે યથાશકિત પ્રયત્નીયમ’ વિકટ પરિસ્થિતિમાં પણ નિરાશાને ખંખેરીને મનોબળ મજબૂત બનાવવું, સંકલ્પથી સિઘ્ધિની પ્રાપ્તિ થાય છે.’  આવો આપણે સહુ માનવભવને સફળ બનાવવા પ્રભુ મહાવીરના ચીંઘ્યા રાહે ચાલવા પા-પા પગલી ભરીએ, પ્રભુના ત્રણ સિઘ્ધાંમાં (૧) આચારે અહિંસા (ર) વિચારે અનેકાંત અને (૩) વ્યવહારે અપરિગ્રહની ભાવનાને સઘ્ધર બનાવીએ, પ્રભુનો ધર્મ ગુણ પ્રધાન છે. વ્યકિત પ્રધાન નથી. તેથી જ કહેવાય છે કે ‘જૈન ધર્મ જે પાળે તેનો ધર્મ’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.