Abtak Media Google News

વાંકાનેર સમાચાર

Website Template Original File1 12

વાંકાનેરમાં શ્વેતામ્બર જૈન તપગચ્છ સંઘ દ્વારા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. દરબાર ગઢ માર્ગ પર આવેલ દેરાસર ખાતે તા.12થી 20 દરમ્યાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે પર્યુષણ પર્વ ની ઉજવણી કરવામાં આવશે.દરાસરને રોશની થી ભવ્ય સુશોભિત કરવામાં આવ્યું છે.દેરાસરમાં નિત્યે પ્રભૂજીને અવનવી અંગ રચના, વ્યાખ્યાન, પૂજન અર્ચન, દિપ માળા, પ્રતિક્રમણ,વરઘોડા જેવા ધાર્મિક કાર્યક્રમો સાથે પર્વાધિરાજ પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.

Screenshot 12

જેમાં વાંકાનેરનાં જૈન જેનેતરો ઉત્સાહ પૂર્વક તપ આરાધના કરી ધર્મ મય ઉજવણી કરી રહ્યા છે. પ્રભૂજીને નિત્ય અવનવી કલાત્મક અંગ રચના કરવામાં આવતાં જેનાં દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે. ભાદરવા સુદ પાંચમ નાં રોજ જલ યાત્રા નો ભવ્ય વરઘોડો બેન્ડની સુરાવલીઓ સાથે શહેરનાં મુખ્ય માર્ગો પર કાઢવામાં આવશે.

કેતન ભટ્ટી

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.